Amitabh Bachchan to narrate opening scene of ‘120 Bahadur’: કૌન બનેગા કરોડપતિએ જાવેદ અખ્તર અને ફરહાન અખ્તરને દર્શાવતા અમિતાભ બચ્ચનના જન્મદિવસ સ્પેશિયલ એપિસોડ માટે નવો પ્રોમો રિલીઝ કર્યો છે. ફરહાન અમિતાભ બચ્ચનને એક ખાસ વિનંતી કરે છે કે...
અમિતાભ બચ્ચન અને `120 બહાદુર` ફિલ્મ પોસ્ટર (તસવીર સૌજન્ય: PR)
કૌન બનેગા કરોડપતિએ જાવેદ અખ્તર અને ફરહાન અખ્તરને દર્શાવતા અમિતાભ બચ્ચનના જન્મદિવસ સ્પેશિયલ એપિસોડ માટે નવો પ્રોમો રિલીઝ કર્યો છે.
પ્રોમોમાં, જાવેદ અને ફરહાન અખ્તર અમિતાભ બચ્ચન સાથે KBC હોટ સીટ પર જોવા મળે છે, જે તેમના ભૂતકાળના સંબંધોને યાદ કરે છે અને મજેદાર વાતો શૅર કરે છે. મુખ્ય ક્ષણ ત્યારે આવે છે જ્યારે અમિતાભ બચ્ચન ફરહાન અખ્તરને તેની આગામી ફિલ્મ 120 બહાદુર વિશે પૂછે છે. ત્યારબાદ ફરહાન રેઝાંગ લાના યુદ્ધ અને 3,000 ચીની સૈનિકો સામે લડનારા બહાદુર સૈનિકોની વાર્તા કહે છે. અંતે, ફરહાન અખ્તર અમિતાભ બચ્ચનને એક ખાસ વિનંતી કરે છે કે બિગ બી તેની ફિલ્મનો ઑપનિંગ સીન નરેટ કરે.
તે કહે છે, "અમારી ફિલ્મ રેઝાંગ લાની ઘટનાઓ સમજાવતા એક નરેટરથી શરૂ થાય છે. જો તમે અમારી ફિલ્મની શરૂઆતમાં નરેટર બની શકો તો તે સન્માનની વાત હશે." મેગાસ્ટાર અમિતાભ બચ્ચન ફરહાનની રીક્વેસ્ટ માટે ખુશીથી સંમત થયા, તેને એપિસોડનો સૌથી ટચિંગ મોમેન્ટ બનાવ્યો. આ પ્રામાણિક અને ભાવનાત્મક વાતચીતે દર્શકોને `120 બહાદુર` ફિલ્મની આતુરતાથી રાહ જોવા માટે પ્રેરિત કર્યા છે. રઝનીશ `રાઝી` ઘાઈ દ્વારા દિગ્દર્શિત અને રિતેશ સિધવાની, ફરહાન અખ્તર (એક્સેલ એન્ટરટેઈનમેન્ટ) અને અમિત ચંદ્રા (ટ્રિગર હેપ્પી સ્ટુડિયો) દ્વારા નિર્મિત, આ ફિલ્મ એક્સેલ એન્ટરટેઈનમેન્ટ દ્વારા પ્રોડક્શન છે અને 21 નવેમ્બર 2025 ના રોજ સિનેમાઘરોમાં રિલીઝ થવાની છે.
ADVERTISEMENT
આ પ્રોમોએ સોશિયલ મીડિયા પર પહેલેથી જ ધૂમ મચાવી દીધી છે, દર્શકો અમિતાભ બચ્ચન અને અખ્તર પરિવારના આ પહેલા ક્યારેય ન જોયેલા ઓનસ્ક્રીન પુનઃમિલનની પ્રશંસા કરી રહ્યા છે. આ એપિસોડ મેગાસ્ટારના ભવ્ય વારસાની સાચી ઉજવણી હોવાની અપેક્ષા છે, જેમાં જૂની યાદો, લાગણી અને સિનેમાના જાદુનું સંપૂર્ણ મિશ્રણ હશે.
રઝનીશ `રાઝી` ઘાઈ દ્વારા દિગ્દર્શિત અને રિતેશ સિધવાની, ફરહાન અખ્તર (એક્સેલ એન્ટરટેઈનમેન્ટ) અને અમિત ચંદ્રા (ટ્રિગર હેપ્પી સ્ટુડિયો) દ્વારા નિર્મિત, આ ફિલ્મ એક્સેલ એન્ટરટેઈનમેન્ટ દ્વારા પ્રોડક્શન છે અને 21 નવેમ્બર 2025 ના રોજ સિનેમાઘરોમાં રિલીઝ થવાની છે.
લતા મંગેશકરની ૯૬મી જન્મજયંતિ પર, તેમને ખાસ શ્રદ્ધાંજલિ આપવા માટે, ફરહાન અખ્તરે `૧૨૦ બહાદુર`નું ટીઝર રિલીઝ કર્યું છે, જેની પૃષ્ઠભૂમિમાં લતા મંગેશકરનું પ્રખ્યાત ગીત `એ મેરે વતન કે લોગોં` વાગી રહ્યું છે. ખાસ વાત એ છે કે આ ગીત ખાસ કરીને ૧૯૬૨ના ચીન સાથેના યુદ્ધમાં શહીદ થયેલા સૈનિકો માટે લખવામાં આવ્યું હતું અને `૧૨૦ બહાદુર` પણ ૧૯૬૨માં ભારત અને ચીન વચ્ચે થયેલા યુદ્ધ પર આધારિત છે. `૧૨૦ બહાદુર` ૨૧ નવેમ્બરે રિલીઝ થવાની છે.


