એ. આર. રહમાનને પણ આ ઇવેન્ટમાં આપવામાં આવશે દીનાનાથ મંગેશકર અવૉર્ડ
અમિતાભ બચ્ચનની તસવીર
અમિતાભ બચ્ચન અને એ. આર. રહમાનને મંગેશકર ફૅમિલી પુરસ્કારથી સન્માનિત કરવામાં આવશે. ૨૪ એપ્રિલે આ ફંક્શનનું આયોજન કરવામાં આવ્યું છે. આ ફંક્શનમાં લતા દીનાનાથ મંગેશકર અવૉર્ડ દ્વારા અમિતાભ બચ્ચનને સન્માનિત કરવામાં આવશે.
તેમ જ એ. આર. રહમાનને માસ્ટર દીનાનાથ મંગેશકર અવૉર્ડ આપવામાં આવશે. આ સિવાય પણ વિવિધ કૅટેગરીમાં વિવિધ લોકોને સન્માનિત કરવામાં આવશે. આ અવૉર્ડ્સની જાહેરાત હૃદયનાથ મંગેશકર અને ઉષા મંગેશકર દ્વારા કરવામાં આવી છે. આ અવૉર્ડ્સ આશા ભોસલેના હસ્તે આપવામાં આવશે. આ ઇવેન્ટમાં લતા મંગેશકરને ટ્રિબ્યુટ પણ આપવામાં આવશે.