તોડવામાં આવશે 'ગંગૂબાઇ કાઠિયાવાડી'નો સેટ, ભણસાલીએ આ કારણસર લીધો નિર્ણય
આલિયા ભટ્ટ
બોલીવુડ અભિનેત્રી આલિયા ભટ્ટ ટૂંક સમયમાં જ સંજય લીલા ભણસાલીની ફિલ્મ 'ગંગૂબાઇ કાઠિયાવાડી'માં દેખાવાની છે. ફિલ્મનો ફર્સ્ટ લૂક રિલીઝ કરી દેવામાં આવ્યો છે અને શૂટિંગ પણ મુંબઇમાં શરૂ થઈ ગઈ હતી. પણ લૉકડાઉનને કારણે આની શૂટિંગ અટકાવી દેવામાં આવી છે. આ દરમિયાન હવે સમાચાર છે કે ફિલ્મ માટે તૈયાર કરવામાં આવેલા સેટને તોડવામાં આવશે. લૉકડાઉનને ધ્યાનમાં રાખીને નિર્દેશક સંજય લીલા ભણસાલીએ આ નિર્ણય લીધો છે.
ADVERTISEMENT
ટાઇમ્સ ઑફ ઇન્ડિયામાં છપાયેલી એક રિપોર્ટ પ્રમાણે, "ભણસાલીએ પ્રૉડક્શન ટીમને સેટ તોડવા માટે કહ્યું છે. સેટમાં 1960ના કમાઠીપુરા બતાવવામાં આવ્યું હતું. સેટનું પેમેન્ટ પણ કરી દેવામાં આવ્યું હતું, પણ લૉકડાઉનને કારણે ત્યાં શૂટિંગ નથી થઈ રહી એવામાં ભણસાલીએ તે સેટ તોડવાનો નિર્ણય લીધો છે. કારણકે તેનું ભાડું અને મેન્ટેનન્સ કરાવવું તેને બીજી વાર બનાવવાથી વધારે મોંઘુ પડશે. તેથી હવે સેટ તોડી નાખવામાં આવશે."
ઉલ્લેખનીય છે કે, 'ગંગૂબાઇ કાઠિયાવાડી'ના બે પોસ્ટર અને એક ટીઝર રિલીઝ કરી દેવામાં આવ્યું છે. આ ફિલ્મમાં આલિયા ભટ્ટ લીડ રોલમાં દેખાવાની છે. મળતી માહિતી પ્રમાણે આલિયા આમાં ગેન્ગસ્ટરનું પાત્ર ભજવશે. અભિનેત્રી પહેલીવાર આવું પાત્ર ભજવવાની છે. આ પહેલ તેણે 'ગલી બૉય'માં થોડુંક અગ્રેસિવ પાત્ર ભજવ્યું હતું. તો આલિયા, સંજય લીલા ભણસાલી સાથે પણ પહેલી વાર કોઇ ફિલ્મમાં કામ કરી રહી છે.
'ગંગૂબાઇ કાઠિયાવાડી'ની વાત કરીએ તો ગંગૂબાઇ મુંબઇના ઇતિહાસમાં સૌથી વધારે જાણીતી મહિલાઓમાંની એક છે. તેણે ખૂબ જ નાની ઉંમરમાં જ વેશ્યાવૃતિ માટે મજબૂર કરવામાં આવી. પછીથી તે કુખ્યાત અપરાધી તેના ગ્રાહક બન્યા.