Gujarati Mid-day
Happiest Places to Work

ઇ-પેપર

વેબસ્ટોરીઝ

વેબસ્ટોરીઝ

બ્રેકિંગ સમાચાર

App banner App banner
હોમ > મનોરંજન > બૉલિવૂડ સમાચાર > આર્ટિકલ્સ > આમિરે પહલગામ-અટૅકને કારણે સિતારે ઝમીન પરનું ટ્રેલર-લૉન્ચ કર્યું પોસ્ટપોન

આમિરે પહલગામ-અટૅકને કારણે સિતારે ઝમીન પરનું ટ્રેલર-લૉન્ચ કર્યું પોસ્ટપોન

Published : 30 April, 2025 10:28 AM | Modified : 01 May, 2025 06:40 AM | IST | Mumbai
Gujarati Mid-day Correspondent | feedbackgmd@mid-day.com

ફિલ્મ સાથે સંકળાયેલા લોકોએ પહલગામમાં જીવ ગુમાવનારાઓનો મલાજો જાળવવા આ નિર્ણય લીધો.

આમિર ખાન

આમિર ખાન


આમિર ખાનની આગામી ફિલ્મ ‘સિતારે ઝમીન પર’નું ટ્રેલર આ અઠવાડિયે અજય દેવગનની ‘રેઇડ’ સાથે જોડાઈને લૉન્ચ થવાનું હતું એવા રિપોર્ટ હતા. જોકે હવે લેટેસ્ટ સમાચાર પ્રમાણે આમિરે પહલગામ-અટૅકને કારણે ‘સિતારે ઝમીન પર’નું ટ્રેલર-લૉન્ચ પોસ્ટપોન કર્યું હોવાના સમાચાર છે. ફિલ્મ સાથે સંકળાયેલા લોકોએ પહલગામમાં જીવ ગુમાવનારાઓનો મલાજો જાળવવા આ નિર્ણય લીધો છે.

પહેલાં તો ‘સિતારે ઝમીન પર’ના ટ્રેલરને બહુ ભવ્ય ફંક્શનમાં લૉન્ચ કરવાનું પ્લાનિંગ હતું, પણ આમિર અને તેની ટીમને લાગે છે કે ભવ્ય ટ્રેલર-લૉન્ચિંગ માટે આ યોગ્ય સમય નથી. હવે એક વખત પરિસ્થિતિ થાળે પડી ગયા પછી ફરીથી ટ્રેલર-લૉન્ચની નવી તારીખ જાહેર કરવામાં આવશે. આમિરના મન પર પહલગામ-અટૅકની બહુ ઊંડી અસર પડી છે એટલે જ તેણે તાજેતરમાં ‘અંદાઝ અપના અપના’ના રીસ્ક્રીનિંગના ફંક્શનમાં પણ હાજરી નહોતી આપી.

‘સિતારે ઝમીન પર’ની રિલીઝ-ડેટ ૨૦ જૂન છે અને આમિરના ફૅન્સ આ ફિલ્મ જોવા માટે ઉત્સુક છે.


Whatsapp-channel Whatsapp-channel

01 May, 2025 06:40 AM IST | Mumbai | Gujarati Mid-day Correspondent

App Banner App Banner

અન્ય લેખો


This website uses cookie or similar technologies, to enhance your browsing experience and provide personalised recommendations. By continuing to use our website, you agree to our Privacy Policy and Cookie Policy. OK