Gujarati Mid-day

ઇ-પેપર

વેબસ્ટોરીઝ

વેબસ્ટોરીઝ


હોમ > મનોરંજન > બૉલિવૂડ સમાચાર > આર્ટિકલ્સ > વધુ સુંદર દેખાવા માટે શું સારા અલી ખાન પણ કરાવશે 'પ્લાસ્ટિક સર્જરી'?

વધુ સુંદર દેખાવા માટે શું સારા અલી ખાન પણ કરાવશે 'પ્લાસ્ટિક સર્જરી'?

13 March, 2019 04:36 PM IST |

વધુ સુંદર દેખાવા માટે શું સારા અલી ખાન પણ કરાવશે 'પ્લાસ્ટિક સર્જરી'?

સારા અલી ખાન

સારા અલી ખાન


સૈફ અલી ખાન અને અમૃતા સિંહની પુત્રી સારા અલી ખાને જ્યારથી બોલીવુડમાં ડેબ્યુ કર્યું છે ત્યારથી તે કેવળ તેની અદાકારી માટે પણ સાથે જ તેની સુંદરતા માટે પણ લોકોને પોતાના ફેન બનાવવામાં સફળ થઈ છે. ફિલ્મ કેદારનાથ સાથે બોલીવુડમાં ડેબ્યુ કરતી સારા અલી ખાનના ફેન્સ તેની સુંદરતાના દીવાના છે. એ તો બધાં જ જાણે છે કે બોલીવુડની મોસ્ટ સક્સેસફુલ હીરોઈન્સે પણ પ્લાસ્ટિક સર્જરીને કારણે સુંદરતા મેળવી છે. પ્રિયંકા ચોપડાથી લઈને જાન્હવી કપૂર, શિલ્પા શેટ્ટી જેવી કેટલીય અભિનેત્રીઓ છે જેમણે સુંદર દેખાવા માટે પ્લાસ્ટિક સર્જરી કરાવી છે. એટલું જ નહીં કેટલીક અભિનેત્રીઓએ એકથી વધુ સર્જરી પણ કરાવી છે તો કેટલીક અભિનેત્રીઓને પ્લાસ્ટિક સર્જરીને કારણે સુંદરતાને સ્થાને તેમના લુકમાં બગાડ પણ વેઠવો પડ્યો છે.

કરણ જોહરે પોતાના શો કૉફી વિથ કરણમાં જ્યારે સારા અલી ખાનને પ્લાસ્ટિક સર્જરી પર પ્રશ્ન કર્યો ત્યારે તેણે આ વિષય પર ખુલીને ચર્ચા કરી. બોલીવુડમાં અભિનેતા હોયા કે અભિનેત્રી બધાં પર સુંદરતાનું પ્રેશર હોય છે. એવામાં કેટલાક પ્લાસ્ટિક સર્જરી કરાવે છે. ખાસ તો જાન્હવી કપૂર કે સારા અલી ખાન જેવી સેલિબ્રિટી ડૉટર લૉન્ચ થાય ત્યારે તેની તુલના કોઈક ને કોઈક સાથે કરવામાં આવે જ છે. થિયેટરમાં એક્ટિંગ પહેલા લોકો તેની પર્સનાલિટી જુએ છે. જો અભિનેત્રી સુંદર હોય તો કેટલીક ફેન ફોલોઈંગ તો તેની પહેલાથી જ થઈ જતી હોય છે જેનાથી ફિલ્મને સુપરહિટ થવામાં મદદ મળી જતી હોય છે. એવામાં સારા અલી ખાન પર કેટલું પ્રેશર હતું તે પણ તેણે શેર કર્યું.



sara ali khan


બોલીવુડમાં સુંદર દેખાવ માટે કેટલું દબાણ?

કરણ જોહરે પોતાના શો પર આવેલ સારા અલી ખાનને જ્યારે પ્લાસ્ટિક સર્જરી પર પ્રશ્ન કર્યો ત્યારે તેણે કેટલાક એવા જવાબો આપ્યા કે તે શોમાંથી એડિટ કરી દેવામાં આવ્યા. પણ સોશિયલ મીડિયા પર તેને રિલીઝ કરવામાં આવ્યું. કૉફી વિથ કરણ સીઝન 6માં કરણ જોહરે જ્યારે સારા અલી ખાનને પૂછ્યું કે શું તેને પણ સુંદર દેખાવા માટે પ્રેશર કરવામાં આવ્યું હતું તો તેણે કહ્યું કે....."શું હું એમ કહી શકું છું કે તમે યોગ્ય કહો છો, જ્યારે તમે કહો છો કે ત્યાં દબાણ હોય છે. આ એ સમય છે જે અમે પણ અનુભવીએ છીએ. તમને આ દબાણથી ઉપર આવીને સહજતા અનુભવવી જોઈએ અને તમે જેવા છો તેવા રહીને સહજતા અનુભવવી જોઈએ."


આ પણ વાંચો : સંજય દત્તને માધુરી સાથે ફરી કામ કરવું છે

સારા અલી ખાન માટે સુંદર દેખાવું કેટલું મહત્ત્વનું?

કરણ જોહરના આ પ્રશ્નનો જવાબ આપતાં સારા કહે છે, "મારો કહેવાનો અર્થ એ નથી કે જેવા છો તેવા રહો. જો તમારું વજન 96 કિલો છે તો ઉઠો અને જિમ જાઓ. પણ એક પોઈન્ટથી ઉપર જવાની જરૂર નથી. જો તમે જે છો તેમાં કોન્ફિડેન્સ નથી તો એવા 500 લોકો હશે જે તમને પાછળ ખેંચવાનો પ્રયત્ન કરશે."

Whatsapp-channel Whatsapp-channel

13 March, 2019 04:36 PM IST |

App Banner App Banner

અન્ય લેખો


This website uses cookie or similar technologies, to enhance your browsing experience and provide personalised recommendations. By continuing to use our website, you agree to our Privacy Policy and Cookie Policy. OK