ભક્તિસંગીતના સૂરો સાથે યુવા પેઢીને ધર્મમય બનાવવામાં સફળતા સાથે આગળ વધી રહેલા આ જૈન યુવા સિંગરો
જૈન યુવા સિંગર્સ
પોતાની ઝળહળતી કારકિર્દીને બાજુ પર રાખીને ભક્તિસંગીતને જીવનનિર્વાહ બનાવનારા અને ગીતો લખવા, ગાવા અને બનાવવામાં જ રત એવા આ સિંગરોને સાંભળવા માટે હજારોની સંખ્યામા યંગસ્ટર્સ ભેગા થાય છે તો સોશ્યલ મીડિયા પર પણ તેમના લાખોમાં ફૉલોઅર્સ છે. આજે પર્યુષણનો પહેલો દિવસ છે ત્યારે મળીએ મુંબઈના કેટલાક સેલિબ્રિટી ગાયકોને જેમણે ભક્તિસંગીતના માધ્યમથી જૈન સમાજના યુવા વર્ગને એકજુટ કરવામાં અને સંકટમાં રહેલાં જૈન તીર્થોને બચાવવામાં જનઆંદોલનને જુદા જ સ્તરે પહોંચાડવાનું કામ કર્યું છે. સંગીતની અને ભક્તિની શક્તિથી ધાર્મિક ચેતનાને ઉજાગર કરી રહેલા આ કલાકારો પાસેથી જાણીએ જૈનિઝમમાં આવી રહેલા મ્યુઝિકલ રેવલ્યુશન વિશે




