ટ્રાવેલ કંપનીઓ દ્વારા લૉન્ચ થતાં ટૂર પૅકેજિસમાં ૯૦ ટકાથી વધુ ખરીદદારો છે ૬૫થી વધુ ઉંમરના વડીલો
કેતકી મહેતા દીકરી ઋજુતા સાથે.
જીવનના વાનપ્રસ્થાશ્રમના પડાવમાં ભગવાનનું નામ લેવાની સાથે પોતાનાં મનગમતાં આંતરરાષ્ટ્રીય સ્થળોએ ફરવા જવાનું ચલણ ગુજરાતી-કચ્છી-મારવાડી વડીલોમાં વધ્યું છે. આ જ કારણ છે કે કરોડોનું ટર્નઓવર ધરાવતી ટ્રાવેલ કંપનીઓના પ્રાઇમ કસ્ટમર એવા વડીલો માટે વિશેષ વ્યવસ્થા અને સુવિધા રાખવામાં આવે છે. ૮૦-૮૫ વર્ષની ઉ ંમરે દુનિયાને એક્સ્પ્લોર કરતા વડીલો અને તેમને ફેરવતા લોકોના અનુભવો જાણીને ચકિત થઈ જશો



