કપિલ દેવની અધ્યક્ષતાવાળી કમિટી ફરી વિવાદમાં સપડાઇ
કપિલ દેવ અને ક્રિકેટ એડવાઇઝરી કમિટી ફરી વિવાદમાં સપડાઇ
Mumbai : ભારતીય ક્રિકેટ ટીમના નવા મુખ્ય કોચ પદ માટે કપિલ દેવ, અંશુમન ગાયકવાડ અને મહિલા ક્રિકેટર શાંતા રંગાસ્વામી ઇન્ટરવ્યુંહ લેશે. કોચ માટેનું આવેદન આપવાની અંતિમ તારીખ પુરી થઇ ગઇ છે. ત્યારે હવે મળી રહેલ સમાચાર પ્રમાણે કપિલ દેવની અધ્યક્ષતાવાળી કમિટી વિવાદમાં મુકાઇ છે.
કોચની પસંદગીની પ્રક્રિયા પહેલા કમિટી પર સવાલો ઉઠ્યા
ભારતીય ટીમનો કોચ પસંદ કરવાની આગળની પ્રક્રિયા હવે શરુ થશે પણ આ પહેલા કમિટી ઉપર સવાલો ઉઠવા લાગ્યા છે. સૌથી મોટો સવાલ ઉભો થઈ રહ્યો છે કે બીસીસીઆઈના નવા સંવિધાન પ્રમાણે શું સમિતિ કોચની પસંદગી કરી શકે છે. ચર્ચા થઈ રહી છે કે આ કમિટીના સભ્યો પર હિતોના ટકરાવનો મામલો તો બનતો નથી ને.
એથિક્સ ઓફિસર નિર્ણય લેશે
શોર્ટ લિસ્ટ કરેલા લોકોના ઇન્ટરવ્યૂ લેતા પહેલા બીસીસીઆઈમાં નિયુક્ત લોકપાલ અને એથિક્સ ઓફિસર જસ્ટિસ ડીકે જૈન આ મામલે અંતિમ નિર્ણય કરશે.ક્રિકઇન્ફોના મતે હિતોના ટકરાવના મામલે સૌથી પહેલા સુપ્રીમ કોર્ટ દ્વારા નિયુક્ત પ્રશાસનિક સમિતિની સભ્ય ડાયના ઇડુલ્જીએ દિલ્હીમાં યોજાયેલી સીએસી બેઠકમાં મુદ્દો ઉઠાવ્યો હતો. આ પછી મધ્ય પ્રદેશ ક્રિકેટ એસોસિયેશનના આજીવન સભ્ય સંજીવ ગુપ્તાએ પણ સીઓએને પત્ર લખીને આ મુદ્દો ઉઠાવ્યો હતો.
આ પણ જુઓ : ધોનીનો ઑટોગ્રાફ લેવા માટે તેની પાછળ દોડતો આ 'ગુજરાતી' હવે આખી ટીમને રાખશે ફિટ
કપિલ દેવ ભારતીય ક્રિકેટ એસોસિયેશનની સ્ટીયરિંગ કમિટીના પણ સભ્ય છે. જ્યારે કપિલ દેવ અને અશંમાન ગાયકવાડ ટીવી ઉપર વિશેષજ્ઞની ભૂમિકા પણ ભજવે છે. ગાયકવાડ બીસીસીઆઈની મેમ્બર સંબંધિત કમિટીના સભ્ય છે. જ્યારે રંગાસ્વામી પણ આઈસીએના નિર્દેશક છે.