Gujarati Mid-day
Happiest Places to Work

ઇ-પેપર

વેબસ્ટોરીઝ

વેબસ્ટોરીઝ


App banner App banner
હોમ > સ્પોર્ટ્સ સમાચાર > ક્રિકેટ > આર્ટિકલ્સ > મેન્સ T20 એશિયા કપ જીત્યા પછી પણ કઈ વાતનો અફસોસ છે કૅપ્ટન સૂર્યાને?

મેન્સ T20 એશિયા કપ જીત્યા પછી પણ કઈ વાતનો અફસોસ છે કૅપ્ટન સૂર્યાને?

Published : 06 October, 2025 09:59 AM | IST | Mumbai
Gujarati Mid-day Correspondent | feedbackgmd@mid-day.com

T20 એશિયા કપ 2025 જીતનાર કૅપ્ટન સૂર્યાએ એક ઇવેન્ટમાં કહ્યું હતું કે...

સૂર્યકુમાર યાદવ

સૂર્યકુમાર યાદવ


ભારતના સ્ટાર બૅટ્સમૅન અને T20 કૅપ્ટન સૂર્યકુમાર યાદવે હાલમાં પોતાના જીવનના એક મોટા અફસોસ વિશે ખુલાસો કર્યો છે. T20 એશિયા કપ 2025 જીતનાર કૅપ્ટન સૂર્યાએ એક ઇવેન્ટમાં કહ્યું હતું કે ‘જ્યારે મહેન્દ્ર સિંહ ધોની ભારતીય કૅપ્ટન હતો ત્યારે હું તેની કૅપ્ટન્સીમાં રમવા ઇચ્છતો હતો, પરંતુ મને ક્યારેય તક મળી નહીં. IPLમાં જ્યારે હું તેની સામે રમું છું ત્યારે તેને સ્ટમ્પ પાછળ જોતો હતો. તેની પાસેથી પ્રેશરની સ્થિતિમાં પણ શાંત રહેવાનું હું શીખ્યો છું. તે રમતનું અવલોકન કરે છે અને પછી નિર્ણય લે છે.’

ભારતના ભૂતપૂર્વ કૅપ્ટન રોહિત શર્મા વિશે વાત કરતાં સૂર્યકુમાર યાદવે કહ્યું હતું કે ‘તેના નેતૃત્વમાં હું IPL ટીમ અને ભારત માટે ઘણું ક્રિકેટ રમ્યો. તે એવી વ્યક્તિ છે જે દરેકને પોતાની આસપાસ આરામદાયક અનુભવ કરાવે છે. તે બધા યુવાનો માટે પ્રેરણારૂપ છે. તેના દરવાજા બધા માટે સાતેય દિવસ ૨૪ કલાક ખુલ્લા રહેતા. આ એક અલગ ગુણવત્તા છે જે હું તેની પાસેથી શીખ્યો છું.’


Whatsapp-channel Whatsapp-channel

06 October, 2025 09:59 AM IST | Mumbai | Gujarati Mid-day Correspondent

App Banner App Banner

અન્ય લેખો


This website uses cookie or similar technologies, to enhance your browsing experience and provide personalised recommendations. By continuing to use our website, you agree to our Privacy Policy and Cookie Policy. OK