Gujarati Mid-day
Happiest Places to Work

ઇ-પેપર

વેબસ્ટોરીઝ

વેબસ્ટોરીઝ


App banner App banner
હોમ > સ્પોર્ટ્સ સમાચાર > ક્રિકેટ > આર્ટિકલ્સ > ૧૦-૧૫ મિનિટની ખરાબ રમતથી મૅચનું રિઝલ્ટ બદલાઈ જાય છે

૧૦-૧૫ મિનિટની ખરાબ રમતથી મૅચનું રિઝલ્ટ બદલાઈ જાય છે

Published : 30 January, 2026 10:17 AM | Modified : 30 January, 2026 10:22 AM | IST | Mumbai
Gujarati Mid-day Correspondent | feedbackgmd@mid-day.com

T20 વર્લ્ડ કપ પહેલાં ભૂતપૂર્વ હેડ કોચ રવિ શાસ્ત્રીએ ટીમ ઇન્ડિયાને આપી ચેતવણી

ટીમ ઇન્ડિયાના ભૂતપૂર્વ હેડ કોચ રવિ શાસ્ત્રી

ટીમ ઇન્ડિયાના ભૂતપૂર્વ હેડ કોચ રવિ શાસ્ત્રી


ટીમ ઇન્ડિયાના ભૂતપૂર્વ હેડ કોચ રવિ શાસ્ત્રીએ આગામી T20 વર્લ્ડ કપમાં મેન ઇન બ્લુના ટાઇટલ-ડિફેન્સ વિશે પોતાના વિચાર શૅર કર્યા છે. રવિ શાસ્ત્રીએ કહ્યું હતું કે ‘જ્યારે તમે તમારા ખિતાબનો બચાવ કરી રહ્યા હો અને જ્યારે તમે ઘરઆંગણે રમી રહ્યા હો ત્યારે પ્રેશર હોય છે અને એ ગમે ત્યાંથી આવી શકે છે. T20 રમતમાં જો તમે ૧૦-૧૫ મિનિટ ખરાબ રમો તો રમતનું રિઝલ્ટ બદલાઈ જાય છે. ઘણી વાર તમે પ્રેશરને કારણે એ મૅચ ૧૦-૧૫ મિનિટમાં હારી જાઓ છો.’

રવિ શાસ્ત્રીએ વધુમાં કહ્યું હતું કે ‘વર્લ્ડ કપમાં ભારત પ્રેશરને કઈ રીતે હૅન્ડલ કરે છે એ ટુર્નામેન્ટની શરૂઆત કેવી રીતે થાય છે એના પર નિર્ભર કરે છે. જો તેઓ સારી શરૂઆત કરે અને ભલે તેઓ રસ્તામાં અવરોધનો સામનો કરે તો પણ તેમની પાસે એને દૂર કરવા માટે પૂરતી બૅટિંગની ઊંડાઈ છે. ટીમમાં વિવિધતા અને સંતુલન જોઈને લાગે છે કે ભારત ટાઇટલ ડિફેન્ડ કરી શકે છે.’


Whatsapp-channel Whatsapp-channel

30 January, 2026 10:22 AM IST | Mumbai | Gujarati Mid-day Correspondent

App Banner App Banner

અન્ય લેખો


This website uses cookie or similar technologies, to enhance your browsing experience and provide personalised recommendations. By continuing to use our website, you agree to our Privacy Policy and Cookie Policy. OK