Gujarati Mid-day
Happiest Places to Work

ઇ-પેપર

વેબસ્ટોરીઝ

વેબસ્ટોરીઝ


App banner App banner
હોમ > સ્પોર્ટ્સ સમાચાર > ક્રિકેટ > આર્ટિકલ્સ > સ્મૃતિ માન્ધનાએ ભારતને ઇંગ્લૅન્ડ સામે મળેલી ચાર રનની હારનો દોષ પોતાની જાતને આપ્યો

સ્મૃતિ માન્ધનાએ ભારતને ઇંગ્લૅન્ડ સામે મળેલી ચાર રનની હારનો દોષ પોતાની જાતને આપ્યો

Published : 21 October, 2025 08:22 AM | IST | Mumbai
Gujarati Mid-day Correspondent | feedbackgmd@mid-day.com

મૅચ બાદની પ્રેસ-કૉન્ફરન્સમાં તેણે કહ્યું હતું કે ‘મને લાગે છે કે એ સમયે દરેક વ્યક્તિની શૉટ-પસંદગી યોગ્ય નહોતી

સ્મૃતિ માન્ધના

સ્મૃતિ માન્ધના


ભારતીય વિમેન્સ ટીમને વન-ડે વર્લ્ડ કપ 2025માં ફરી એક વાર અંતિમ ઓવર્સના નબળા પ્રદર્શનને કારણે હારનો સામનો કરવો પડ્યો. રવિવારે ઇંગ્લૅન્ડ સામે મળેલી ચાર રનની હાર માટે ભારતની વાઇસ-કૅપ્ટન સ્મૃતિ માન્ધનાએ પોતાની જાતને જવાબદાર ગણાવી હતી. ૨૮૯ રનના ટાર્ગેટ સામે ઓપનર સ્મૃતિ છેક ૪૨મી ઓવરમાં ૮ ફોરની મદદથી ૯૪ બૉલમાં ૮૮ રનની ઇનિંગ્સ રમીને કૅચઆઉટ થઈ હતી. સ્મૃતિ વર્તમાન વર્લ્ડ કપમાં ૨૨૨ રન સાથે હાઇએસ્ટ રન કરનાર એશિયન બૅટર હોવા છતાં ટીમ ઇન્ડિયાને હૅટ-ટ્રિક હારનો સામનો કરવો પડ્યો છે. 

મૅચ બાદની પ્રેસ-કૉન્ફરન્સમાં તેણે કહ્યું હતું કે ‘મને લાગે છે કે એ સમયે દરેક વ્યક્તિની શૉટ-પસંદગી યોગ્ય નહોતી. અમે અમારા શૉટ-પસંદગી સાથે વધુ સારું કરી શક્યા હોત. ખાસ કરીને એ મારી બૅટિંગ સાથે શરૂ થયું હતું એથી હું ખરાબ શૉટ-પસંદગી માટે મારી જાત પર દોષ લઈશ. હું મારી જાતને હાર માટે જવાબદાર ગણું છું, કારણ કે મારી વિકેટ બાદ ધબડકો શરૂ થયો. કદાચ આ મૅચમાં લાગણીઓ મારા પર હાવી થઈ ગઈ જે ક્રિકેટમાં ક્યારેય કામ કરતી નથી. મને વિશ્વાસ હતો કે અમે જીતીશું, પરંતુ આ ક્રિકેટ છે.’


Whatsapp-channel Whatsapp-channel

21 October, 2025 08:22 AM IST | Mumbai | Gujarati Mid-day Correspondent

App Banner App Banner

અન્ય લેખો


This website uses cookie or similar technologies, to enhance your browsing experience and provide personalised recommendations. By continuing to use our website, you agree to our Privacy Policy and Cookie Policy. OK