સિકંદર રઝા બંગલાદેશ સામે ઝિમ્બાબ્વેની ટીમનું નેતૃત્વ કરશે. બંગલાદેશમાં ૧૦ દિવસ ચાલનારી T20 સિરીઝ ૧૨ મેએ પૂરી થશે
સિકંદર રઝા
ત્રીજી મેથી બંગલાદેશ સામે શરૂ થતી પાંચ મૅચની T20 સિરીઝને કારણે ઝિમ્બાબ્વેનો ઑલરાઉન્ડર સિકંદર રઝા ઇન્ડિયન પ્રીમિયર લીગ (IPL) 2024માં પંજાબ કિંગ્સ માટે રમતો નહીં જોવા મળે. જોકે પંજાબ તરફથી વર્તમાન સીઝનમાં તેણે ગુજરાત ટાઇટન્સ અને સનરાઇઝર્સ હૈદરાબાદ સામે રમતાં માત્ર ૪૩ રન ફટકાર્યા હતા. સિકંદર રઝા બંગલાદેશ સામે ઝિમ્બાબ્વેની ટીમનું નેતૃત્વ કરશે. બંગલાદેશમાં ૧૦ દિવસ ચાલનારી T20 સિરીઝ ૧૨ મેએ પૂરી થશે. જો પંજાબ કિંગ્સ પ્લેઑફની રેસમાં બની રહેશે તો ૩૮ વર્ષનો સિકંદર રઝા ફરી એક વાર ટીમ સાથે જોડાશે.