વન-ડે વર્લ્ડ કપનો બદલો T20 વર્લ્ડ કપ લેવા વિશે રોહિત શર્મા કહે છે...
રોહિત શર્મા
ભારત બાર્બેડોઝમાં T20 વર્લ્ડ કપ 2024નું ટાઇટલ જીત્યું એને આવતી કાલે ૨૯ જૂને એક વર્ષ પૂરું થશે. એ પ્રસંગે ભારતના ચૅમ્પિયન કૅપ્ટન રોહિત શર્માએ સ્ટાર સ્પોર્ટ્સ પર એ વર્લ્ડ કપની યાદગીરી શૅર કરી હતી જેમાં તેણે ઑસ્ટ્રેલિયન ટીમ માટે મહત્ત્વનું નિવેદન આપ્યું હતું.
૨૦૨૩ની ૧૯ નવેમ્બરે ઑસ્ટ્રેલિયા વન-ડે વર્લ્ડ કપની ફાઇનલમાં યજમાન ટીમ ભારતને હરાવીને ટાઇટલ જીત્યું હતું. ભારતે એનો બદલો T20 વર્લ્ડ કપ 2024માં સુપર-એઇટની ટક્કરમાં કાંગારૂ ટીમને હરાવીને તેમને સેમી ફાઇનલની રેસમાંથી બહાર કરીને લીધો હતો. આ સંદર્ભે વાત કરતાં રોહિત શાર્માએ કહ્યું કે ‘હું બદલો લેવાની ભાવના સાથે નથી રમતો, પણ ગુસ્સો હતો એ મારા મગજમાં ઘર કરી ગયો હતો. તેમણે ટીમ સાથે આખા દેશની ૧૯ નવેમ્બર બગાડી હતી એટલે તેમને ગિફ્ટ આપવી જરૂરી હતી. ડ્રેસિંગ રૂમમાં મજાક-મસ્તી ચાલતી હતી કે આ ટીમને રેસમાંથી બહાર કરી દઈશું તો મજા પડશે.’
ADVERTISEMENT
ભાારત T20 વર્લ્ડ કપ 2024નું ટાઇટલ જીત્યું એને ૨૯ જૂને એક વર્ષ પૂરું થશે.


