Gujarati Mid-day
Happiest Places to Work

ઇ-પેપર

વેબસ્ટોરીઝ

વેબસ્ટોરીઝ


App banner App banner
હોમ > સ્પોર્ટ્સ સમાચાર > ક્રિકેટ > આર્ટિકલ્સ > જો ભારત ઇંગ્લૅન્ડમાં ખરાબ રીતે હારે તો કોહલી ટેસ્ટ-ક્રિકેટમાં વાપસી કરી શકે : માઇકલ ક્લાર્ક

જો ભારત ઇંગ્લૅન્ડમાં ખરાબ રીતે હારે તો કોહલી ટેસ્ટ-ક્રિકેટમાં વાપસી કરી શકે : માઇકલ ક્લાર્ક

Published : 08 June, 2025 08:22 AM | IST | London
Gujarati Mid-day Correspondent | feedbackgmd@mid-day.com

જો કૅપ્ટન, સિલેક્ટર્સ અને ફૅન્સ એવું ઇચ્છે તો તે વાપસી કરી શકે છે. તે હજી પણ ટેસ્ટ-ક્રિકેટને પ્રેમ કરે છે. તેના શબ્દો ટેસ્ટ-ક્રિકેટ પ્રત્યેના તેના જુસ્સાને પ્રતિબિંબિત કરે છે.

માઇકલ ક્લાર્ક, વિરાટ કોહલી

માઇકલ ક્લાર્ક, વિરાટ કોહલી


ઑસ્ટ્રેલિયાના ભૂતપૂર્વ કૅપ્ટન માઇકલ ક્લાર્કે પોતાની યુટ્યુબ ચૅનલ પર ભારતીય ટીમની ઇંગ્લૅન્ટ ટેસ્ટ-ટૂર વિશે મોટું નિવેદન આપ્યું છે. ૪૪ વર્ષનો ક્લાર્ક કહે છે, ‘મને એવું લાગે છે કે જો ભારતીય ટીમ ઇંગ્લૅન્ડમાં ૫-૦થી અથવા ખરાબ રીતે હારી જાય તો ફૅન્સ ઇચ્છશે કે વિરાટ કોહલી નિવૃત્તિનો નિર્ણય બદલીને ફરીથી ટેસ્ટ-ક્રિકેટ રમે. જો કૅપ્ટન, સિલેક્ટર્સ અને ફૅન્સ એવું ઇચ્છે તો તે વાપસી કરી શકે છે. તે હજી પણ ટેસ્ટ-ક્રિકેટને પ્રેમ કરે છે. તેના શબ્દો ટેસ્ટ-ક્રિકેટ પ્રત્યેના તેના જુસ્સાને પ્રતિબિંબિત કરે છે.’


IPL 2025 જીત્યા બાદ વિરાટ કોહલીએ મેદાન પર એક ઇન્ટરવ્યુમાં યુવા પેઢીને ટેસ્ટ-ક્રિકેટને આદર આપવાની સલાહ આપી હતી. તેણે કહ્યું હતું કે ક્રિકેટનું આ પરંપરાગત ફૉર્મેટ તેમને વિશ્વમાં દરેક સ્થળે સન્માન અપાવશે.


Whatsapp-channel Whatsapp-channel

08 June, 2025 08:22 AM IST | London | Gujarati Mid-day Correspondent

App Banner App Banner

અન્ય લેખો


This website uses cookie or similar technologies, to enhance your browsing experience and provide personalised recommendations. By continuing to use our website, you agree to our Privacy Policy and Cookie Policy. OK