Gujarati Mid-day
Happiest Places to Work

ઇ-પેપર

વેબસ્ટોરીઝ

વેબસ્ટોરીઝ


App banner App banner
હોમ > સ્પોર્ટ્સ સમાચાર > ક્રિકેટ > આર્ટિકલ્સ > હર્ષલને મૅચ દરમ્યાન મળ્યા બહેનના નિધનના સમાચાર અને મૅચ પછી તરત ઘરે જવા રવાના થયો

હર્ષલને મૅચ દરમ્યાન મળ્યા બહેનના નિધનના સમાચાર અને મૅચ પછી તરત ઘરે જવા રવાના થયો

Published : 11 April, 2022 01:06 PM | IST | Mumbai
Gujarati Mid-day Correspondent | feedbackgmd@mid-day.com

શનિવારે પુણેમાં મુંબઈ ઇન્ડિયન્સ સામેની મૅચમાં ૨૩ રનમાં રોહિત શર્મા અને રમણદીપ સિંહની વિકેટ લેનાર હર્ષલને એ મૅચ દરમ્યાન બહેનના નિધનની જાણ થઈ હતી

હર્ષલ પટેલ

IPL 2022

હર્ષલ પટેલ


૨૦૨૧ની આઇપીએલમાં સૌથી વધુ ૩૨ વિકેટ લેનાર અને આ વખતે ૪ મૅચમાં ૬ વિકેટ લઈ ચૂકેલા રૉયલ ચૅલેન્જર્સ બૅન્ગલોર (આરસીબી)ના ૩૧ વર્ષના પેસ બોલર હર્ષલ પટેલની બહેનનું અવસાન થયું છે. શનિવારે પુણેમાં મુંબઈ ઇન્ડિયન્સ સામેની મૅચમાં ૨૩ રનમાં રોહિત શર્મા અને રમણદીપ સિંહની વિકેટ લેનાર હર્ષલને એ મૅચ દરમ્યાન બહેનના નિધનની જાણ થઈ હતી અને મૅચ પૂરી થયા બાદ તરત જ તે ટીમના બાયો-બબલમાંથી બહાર આવીને ઘરે જવા રવાના થઈ ગયો હતો. હર્ષલની બહેન થોડા સમયથી બીમાર હતી.

કેટલાક અહેવાલ મુજબ હર્ષલ માત્ર એક દિવસ માટે તેના ઘેર ગયો છે. બૅન્ગલોરની હવે પછીની મૅચ આવતી કાલે ડી. વાય. પાટીલ સ્ટેડિયમમાં ચેન્નઈ સામે રમાશે. તેણે પાછા રમવા આવતાં પહેલાં ફરજિયાત ક્વૉરન્ટીનના પ્રોટોકોલમાંથી પસાર થવું પડશે. એ જોતાં તે કદાચ શનિવાર ૧૬ એપ્રિલે દિલ્હી સામેની મૅચથી ફરી રમશે.



શનિવારે બૅન્ગલોરે મુંબઈની ટીમને ૭ વિકેટે હરાવી એમાં હર્ષલનું મોટું યોગદાન હતું. ૩૦ માર્ચે કલકત્તા સામેના વિજયમાં પણ તેની મહત્ત્વની ભૂમિકા (૧૧ રનમાં રસેલ તથા સૅમ બિલિંગ્સની વિકેટ અને અણનમ ૧૦ રન) હતી. બૅન્ગલોરના ફ્રૅન્ચાઇઝીએ હર્ષલને ૧૦.૭૫ કરોડ રૂપિયામાં ખરીદ્યો છે.


Whatsapp-channel Whatsapp-channel

11 April, 2022 01:06 PM IST | Mumbai | Gujarati Mid-day Correspondent

App Banner App Banner

અન્ય લેખો


This website uses cookie or similar technologies, to enhance your browsing experience and provide personalised recommendations. By continuing to use our website, you agree to our Privacy Policy and Cookie Policy. OK