Gujarati Mid-day

ઇ-પેપર

વેબસ્ટોરીઝ

વેબસ્ટોરીઝ


App banner App banner
હોમ > સ્પોર્ટ્સ સમાચાર > ક્રિકેટ > આર્ટિકલ્સ > સંજુ સૅમસનને અવગણવામાં આવ્યો નથી, સિલેક્શનમાં વર્તમાન ફૉર્મની અસર પડે છે : હેડ કોચ ગૌતમ ગંભીર

સંજુ સૅમસનને અવગણવામાં આવ્યો નથી, સિલેક્શનમાં વર્તમાન ફૉર્મની અસર પડે છે : હેડ કોચ ગૌતમ ગંભીર

Published : 09 July, 2026 11:30 AM | IST | Mumbai
Gujarati Mid-day Correspondent | feedbackgmd@mid-day.com

ઇંગ્લૅન્ડ સામેની સિરીઝમાં સંજુ સૅમસને ડ્રોપ કરીને વૈભવ સૂર્યવંશીને રમાડવામાં આવી રહ્યો છે

સંજુ સૅમસન

સંજુ સૅમસન


T20 વર્લ્ડ કપ 2026ના હીરો સંજુ સૅમસનને પ્લેઇંગ ઇલેવન અને આગામી ઝિમ્બાબ્વે ટૂર પરથી બાકાત રાખવાના મામલે હેડ કોચ ગૌતમ ગંભીરે મોટું નિવેદન આપ્યું છે. ઇંગ્લૅન્ડ સામેની સિરીઝમાં સંજુ સૅમસને ડ્રોપ કરીને વૈભવ સૂર્યવંશીને રમાડવામાં આવી રહ્યો છે.  

ગૌતમ ગંભીર કહે છે, ‘મેં સંજુ સૅમસનને જરૂરી સ્પષ્ટતા પૂરી પાડી છે. આ વાતચીત ફક્ત ખેલાડી અને મુખ્ય કોચ વચ્ચે છે. એ લીક કરવામાં આવશે નહીં. સંજુ વિશે અમે ખૂબ સ્પષ્ટ છીએ કે તેણે ભારત માટે જે કર્યું છે એ શાનદાર રહ્યું છે. તેને અવગણવામાં આવ્યો નથી. તમારે ટીમ-સિલેક્શન માટે ખેલાડીના ફૉર્મને જોવું પડશે. એવો કોઈ નિયમ નથી જે સંજુ સૅમસનને ટીમમાં વાપસી કરતાં રોકી શકે. ઇન્ટરનૅશનલ ક્રિકેટ રિઝલ્ટની રમત છે. તેથી અમે જે પણ સંયોજન શ્રેષ્ઠ લાગે છે એની સાથે રમીએ છીએ. મેં હંમેશાં માન્યું છે કે દરેક વ્યક્તિએ પોતાનું સ્થાન અને ભારત માટે રમવાનો અધિકાર કમાવવાં પડશે.’


Whatsapp-channel Whatsapp-channel

09 July, 2026 11:30 AM IST | Mumbai | Gujarati Mid-day Correspondent

App Banner App Banner

અન્ય લેખો


This website uses cookie or similar technologies, to enhance your browsing experience and provide personalised recommendations. By continuing to use our website, you agree to our Privacy Policy and Cookie Policy. OK