Gujarati Mid-day
Happiest Places to Work

ઇ-પેપર

વેબસ્ટોરીઝ

વેબસ્ટોરીઝ


App banner App banner
હોમ > સ્પોર્ટ્સ સમાચાર > ક્રિકેટ > આર્ટિકલ્સ > વર્લ્ડ કપ દરમ્યાન ફૅમિલીને સાથે રાખવાની સૂર્યકુમારની વિનંતી થઈ રિજેક્ટ

વર્લ્ડ કપ દરમ્યાન ફૅમિલીને સાથે રાખવાની સૂર્યકુમારની વિનંતી થઈ રિજેક્ટ

Published : 11 February, 2026 10:17 AM | IST | Mumbai
Gujarati Mid-day Correspondent | feedbackgmd@mid-day.com

જોકે ક્રિકેટ બોર્ડે કહ્યું કે ખેલાડીઓ ઇચ્છે તો સ્વખર્ચે ફૅમિલી માટે હોટેલમાં અલગ વ્યવસ્થા કરી શકે

ફાઇલ તસવીર

ફાઇલ તસવીર


એક અહેવાલ પ્રમાણે હાલમાં ભારત અને શ્રીલંકામાં ચાલી રહેલા T20 વર્લ્ડ કપ દરમ્યાન ફૅમિલી-મેમ્બરને સાથે રાખવા દેવાની કૅપ્ટન સૂર્યકુમાર યાદવની વિનંતીને ક્રિકેટ બોર્ડે નકારી કાઢી છે. સૂર્યકુમારે ખેલાડીઓ સાથે તેમની પત્ની અથવા મંગેતરને સાથે રહેવા દેવાની વિનંતી કરી હતી.

અહેવાલ પ્રમાણે ક્રિકેટ બોર્ડે એના જવાબમાં સ્પષ્ટ કર્યું હતું કે ટુર્નામેન્ટ દરમ્યાન ખેલાડીઓના પરિવારને ટીમ સાથે રોકાવાની મંજૂરી નથી, પણ જો કોઈ કોઈ ખેલાડી ઇચ્છે તો પોતાના પરિવાર માટે હોટેલમાં અલગ રોકાવાની વ્યવસ્થા કરી શકે છે. એની સંપૂર્ણ જવાબદારી એ ખેલાડીએ ઉઠાવવી પડશે, બોર્ડ તરફથી કોઈ વ્યવસ્થા કરવામાં આવશે નહીં. 
ગયા વર્ષે ઑસ્ટ્રેલિયામાં ભારતની ૧-૩થી શરમજનક હાર બાદ ક્રિકેટ બોર્ડે ખેલાડીઓ સાથે પરિવારના રહેવા વિશેના નિયમમાં ફેરફાર કરીને ૪૫ દિવસથી લાંબા વિદેશી પ્રવાસ દરમ્યાન ખેલાડીઓના પરિવારને વધુમાં વધુ ૧૪ દિવસ સુધી સાથે રાખવાની છૂટ આપી હતી.



ચૅમ્પિયન ભારતીય ટીમે રવિવારે વાનખેડેમાં USA સામે જીત મેળવીને શુભ શરૂઆત કરી હતી અને હવે આવતી કાલે એ દિલ્હીમાં નામિબિયા સામે રમશે અને ત્યાર બાદ શ્રીલંકા જશે જ્યાં રવિવારે કટ્ટર હરીફ પાકિસ્તાન સામે ટકરાશે.


Whatsapp-channel Whatsapp-channel

11 February, 2026 10:17 AM IST | Mumbai | Gujarati Mid-day Correspondent

App Banner App Banner

અન્ય લેખો


This website uses cookie or similar technologies, to enhance your browsing experience and provide personalised recommendations. By continuing to use our website, you agree to our Privacy Policy and Cookie Policy. OK