Gujarati Mid-day
Happiest Places to Work

ઇ-પેપર

વેબસ્ટોરીઝ

વેબસ્ટોરીઝ


App banner App banner
હોમ > સ્પોર્ટ્સ સમાચાર > ક્રિકેટ > આર્ટિકલ્સ > ભારત-પાકિસ્તાન મુકાબલાને મેઘરાજા નડશે?

ભારત-પાકિસ્તાન મુકાબલાને મેઘરાજા નડશે?

Published : 31 August, 2023 12:19 PM | Modified : 31 August, 2023 01:07 PM | IST | Pallekele
Gujarati Mid-day Correspondent | feedbackgmd@mid-day.com

શનિવારે કૅન્ડીના પલ્લેકેલમાં ટક્કર છે, પણ ત્યાં વરસાદ પડવાની સંભાવના ૭૦ ટકા છે

ચાલો ફરી એશિયાના ચૅમ્પિયન બનવા : ભારતીય ખેલાડીઓ બૅન્ગલોરમાં પ્રૅક્ટિસ કરીને કોલંબો પહોંચી ગયા છે. છેલ્લે ૨૦૧૮નો વન-ડેનો અેશિયા કપ ભારત જીત્યું હતું. (તસવીર  પી.ટી.આઇ.)

ચાલો ફરી એશિયાના ચૅમ્પિયન બનવા : ભારતીય ખેલાડીઓ બૅન્ગલોરમાં પ્રૅક્ટિસ કરીને કોલંબો પહોંચી ગયા છે. છેલ્લે ૨૦૧૮નો વન-ડેનો અેશિયા કપ ભારત જીત્યું હતું. (તસવીર પી.ટી.આઇ.)


વન-ડેના વર્લ્ડ કપમાં ૧૪ ઑક્ટોબરે ભારત અને પાકિસ્તાન વચ્ચે મહામુકાબલો થાય એ પહેલાં એશિયા કપમાં બન્ને કટ્ટર દેશ વચ્ચે બેથી ત્રણ મુકાબલા થવાની પાકી સંભાવના છે. એમાંનો પહેલો જંગ શનિવારે કૅન્ડીના પલ્લેકેલમાં થવાનો છે, પરંતુ ગઈ કાલે સાંજે મળેલા શ્રીલંકાની વેધશાળાના અહેવાલ અનુસાર શનિવારે કૅન્ડી સહિત કેટલાક પ્રદેશોમાં વરસાદનો માહોલ છે જે આગામી થોડા દિવસ દરમ્યાન ચાલુ રહી શકે.

યુકે-સ્થિત વેધશાળાએ પણ આગાહી કરી છે કે શનિવારે બપોરે ૩.૦૦ વાગ્યે ભારત-પાકિસ્તાનની મૅચ શરૂ થાય એ પહેલાં ૨.૩૦ વાગ્યે વરસાદ પડવાની ૭૦ ટકા શક્યતા છે. કૅન્ડી શ્રીલંકાના મધ્ય પ્રાંતમાં આવે અને ત્યાં મેઘરાજા મહેરબાન થવાની સંભાવના વધુ છે.


Whatsapp-channel Whatsapp-channel

31 August, 2023 01:07 PM IST | Pallekele | Gujarati Mid-day Correspondent

App Banner App Banner

અન્ય લેખો


This website uses cookie or similar technologies, to enhance your browsing experience and provide personalised recommendations. By continuing to use our website, you agree to our Privacy Policy and Cookie Policy. OK