Gujarati Mid-day

ઇ-પેપર

વેબસ્ટોરીઝ

વેબસ્ટોરીઝ


App banner App banner
હોમ > સ્પોર્ટ્સ સમાચાર > ક્રિકેટ > આર્ટિકલ્સ > કેમ ભારતીય ટીમ મૅનેજમેન્ટને ટૉન્ટ માર્યો સંજય માંજરેકરે?

કેમ ભારતીય ટીમ મૅનેજમેન્ટને ટૉન્ટ માર્યો સંજય માંજરેકરે?

Published : 12 September, 2025 10:31 AM | IST | Abu Dhabi
Gujarati Mid-day Correspondent | feedbackgmd@mid-day.com

પ્લેયર ઑફ ધ મૅચ બનેલા કુલદીપ યાદવના મૅચ-વિનિંગ સ્પેલ બાદ ભારતના ભૂતપૂર્વ ક્રિકેટર સંજય માંજરેકરે ભારતીય ટીમ મૅનેજમેન્ટ પર કટાક્ષ કર્યો હતો

સંજય માંજરેકર

સંજય માંજરેકર


T20 એશિયા કપ 2025ની UAE સામેની મૅચમાં સ્પિનર કુલદીપ યાદવે ૨.૧ ઓવરમાં માત્ર ૭ રન આપીને ૪ વિકેટ લીધી હતી. પ્લેયર ઑફ ધ મૅચ બનેલા કુલદીપ યાદવના મૅચ-વિનિંગ સ્પેલ બાદ ભારતના ભૂતપૂર્વ ક્રિકેટર સંજય માંજરેકરે ભારતીય ટીમ મૅનેજમેન્ટ પર કટાક્ષ કર્યો હતો. ઇંગ્લૅન્ડ ટેસ્ટ ટૂર પર કુલદીપને એક પણ મૅચ રમવા નહોતી મળી.

તમામ ફૉર્મેટમાં તેના પ્રભાવશાળી રેકૉર્ડ છતાં તેને બેન્ચ પર બેસાડી રાખવા બદલ ટીમ મૅનેજમેન્ટે ટીકાનો સામનો કરવો પડ્યો હતો. તેના અસાધારણ પ્રદર્શન માટે જાણીતા કુલદીપનું સ્થાન ભારતીય પ્લેઇંગ ઇલેવનમાં અનિયમિત જોવા મળે છે, કારણ કે ઘણી વખત ટીમને ઑલરાઉન્ડરની વધુ જરૂર હોય છે. સંજય માંજરેકરે સોશ્યલ મીડિયા પર લખ્યું હતું, ‘કુલદીપે એક જ ઓવરમાં ૩ વિકેટ લીધી. હવે તે કદાચ આગામી મૅચમાં નહીં જોવા મળે.’


Whatsapp-channel Whatsapp-channel

12 September, 2025 10:31 AM IST | Abu Dhabi | Gujarati Mid-day Correspondent

App Banner App Banner

અન્ય લેખો


This website uses cookie or similar technologies, to enhance your browsing experience and provide personalised recommendations. By continuing to use our website, you agree to our Privacy Policy and Cookie Policy. OK