દિગ્ગજ રોકાણકારે જણાવ્યું હતું કે તેમની કંપની જપાનમાં રોકાણથી સંતુષ્ટ છે.
લાઇફ મસાલા
વૉરન બફેટની તસવીર
અબજોપતિ ઇન્વેસ્ટર વૉરન બફેટે બર્કશાયરની ઍન્યુઅલ મીટિંગમાં જણાવ્યું હતું કે ભારતની માર્કેટમાં એવી અઢળક તકો છે જે હજી પણ શોધાઈ નથી અને તેમની કોન્ગ્લોમરેટ હોલ્ડિંગ કંપની બર્કશાયર હાથવે ભવિષ્યમાં આ તક શોધવા માગે છે. ભારતીય ઇક્વિટીઝમાં રોકાણ કરતા યુનાઇટેડ સ્ટેટ્સના હેજ ફન્ડ દૂરદર્શી ઍડ્વાઇઝર્સના રાજીવ અગ્રવાલે વૉરન બફેટને વિશ્વની પાંચમી સૌથી મોટી અર્થવ્યવસ્થામાં રોકાણ કરવાની સંભાવના વિશે પૂછ્યું હતું. ૯૩ વર્ષના વૉરન બફેટે એનો જવાબ આપતાં કહ્યું હતું કે ‘મને ખાતરી છે કે ભારત જેવા દેશોમાં ઘણી બધી તકો છે. જોકે પ્રશ્ન એ છે કે આ તકમાં બર્કશાયરને કોઈ લાભ અને આંતરદૃષ્ટિ દેખાય છે કે નહીં. આ ઉપરાંત, ભારતમાં કોઈ બર્કશાયરના ટ્રાન્ઝૅક્શનને શક્ય બનાવે એવા સંપર્ક પણ હોવા જોઈએ.’ દિગ્ગજ રોકાણકારે જણાવ્યું હતું કે તેમની કંપની જપાનમાં રોકાણથી સંતુષ્ટ છે.