Gujarati Mid-day

ઇ-પેપર

વેબસ્ટોરીઝ

વેબસ્ટોરીઝ


હોમ > સમાચાર > ચિત્ર-વિચિત્ર > આર્ટિકલ્સ > વૉરન બફેટે કહ્યું કે ભારત પાસે અનેક તક છે, પણ હાલમાં રોકાણ કરવાની કોઈ યોજના નથી

વૉરન બફેટે કહ્યું કે ભારત પાસે અનેક તક છે, પણ હાલમાં રોકાણ કરવાની કોઈ યોજના નથી

06 May, 2024 09:56 AM IST | Mumbai
Gujarati Mid-day Correspondent | feedbackgmd@mid-day.com

દિગ્ગજ રોકાણકારે જણાવ્યું હતું કે તેમની કંપની જપાનમાં રોકાણથી સંતુષ્ટ છે.

વૉરન બફેટની તસવીર

લાઇફ મસાલા

વૉરન બફેટની તસવીર


અબજોપતિ ઇન્વેસ્ટર વૉરન બફેટે બર્કશાયરની ઍન્યુઅલ મીટિંગમાં જણાવ્યું હતું કે ભારતની માર્કેટમાં એવી અઢળક તકો છે જે હજી પણ શોધાઈ નથી અને તેમની કોન્ગ્લોમરેટ હોલ્ડિંગ કંપની બર્કશાયર હાથવે ભવિષ્યમાં આ તક શોધવા માગે છે. ભારતીય ઇક્વિટીઝમાં રોકાણ કરતા યુનાઇટેડ સ્ટેટ્સના હેજ ફન્ડ દૂરદર્શી ઍડ્વાઇઝર્સના રાજીવ અગ્રવાલે વૉરન બફેટને વિશ્વની પાંચમી સૌથી મોટી અર્થવ્યવસ્થામાં રોકાણ કરવાની સંભાવના વિશે પૂછ્યું હતું. ૯૩ વર્ષના વૉરન બફેટે એનો જવાબ આપતાં કહ્યું હતું કે ‘મને ખાતરી છે કે ભારત જેવા દેશોમાં ઘણી બધી તકો છે. જોકે પ્રશ્ન એ છે કે આ તકમાં બર્કશાયરને કોઈ લાભ અને આંતરદૃષ્ટિ દેખાય છે કે નહીં. આ ઉપરાંત, ભારતમાં કોઈ બર્કશાયરના ટ્રાન્ઝૅક્શનને શક્ય બનાવે એવા સંપર્ક પણ હોવા જોઈએ.’ દિગ્ગજ રોકાણકારે જણાવ્યું હતું કે તેમની કંપની જપાનમાં રોકાણથી સંતુષ્ટ છે.


Whatsapp-channel Whatsapp-channel

06 May, 2024 09:56 AM IST | Mumbai | Gujarati Mid-day Correspondent

App Banner App Banner

અન્ય લેખો


X
ક્વિઝમાં ભાગ લો અને જીતો ગિફ્ટ વાઉચર
This website uses cookie or similar technologies, to enhance your browsing experience and provide personalised recommendations. By continuing to use our website, you agree to our Privacy Policy and Cookie Policy. OK