Gujarati Mid-day
Happiest Places to Work

ઇ-પેપર

વેબસ્ટોરીઝ

વેબસ્ટોરીઝ


App banner App banner
હોમ > સમાચાર > ચિત્ર-વિચિત્ર > આર્ટિકલ્સ > માલિક સાથે પંઢરપુર આવેલો કૂતરો ભૂલો પડ્યો

માલિક સાથે પંઢરપુર આવેલો કૂતરો ભૂલો પડ્યો

Published : 01 August, 2024 10:49 AM | IST | Mumbai
Gujarati Mid-day Correspondent | feedbackgmd@mid-day.com

૨૫૦ કિલોમીટર ચાલીને એકલો કર્ણાટક પાછો પહોંચ્યો

મહારાજ ડૉગ

અજબગજબ

મહારાજ ડૉગ


પ્રાણીઓની, ખાસ કરીને કૂતરાંની છઠ્ઠી ઇન્દ્રીય બહુ જ સતેજ હોવાનું ઘણી વાર સાંભળ્યું છે, પરંતુ કર્ણાટકના એક ગામના લોકોએ જોયું પણ ખરું. બન્યું એવું કે બેલગાવી જિલ્લાના કમલેશ કુંભર જૂનના છેલ્લા અઠવાડિયામાં મહારાષ્ટ્રના તીર્થસ્થાન પંઢરપુરની જાત્રા કરવા નીકળ્યા હતા. તેમનો પાલતુ શ્વાન મહારાજ પણ સાથે ચાલી નીકળ્યો. ૨૫૦ કિલોમીટરની યાત્રામાં વિઠોબા મંદિરનાં દર્શન કર્યા પછી મહારાજ ખોવાઈ ગયો. કુંભરે આસપાસ બહુ તપાસ કરી, લોકોને પૃચ્છા કરી, પરંતુ ક્યાંયથી કૂતરાની ભાળ ન મળી. કૂતરો કોઈ મંડળી સાથે જતો રહ્યો હોવાનું કોઈએ કહેતાં કુંભર નિરાશ થઈ પાછા જતા રહ્યા. બીજા દિવસે તેમના આશ્ચર્યનો પાર ન રહ્યો. ઘરની સામે તેમનો વહાલો મહારાજ બેઠો હતો. તેમના કહેવા પ્રમાણે આ ઈશ્વરનો ચમત્કાર છે. ભગવાન પાંડુરંગના માર્ગદર્શનથી મહારાજ પાછો આવી ગયો છે. ઘટનાને ચમત્કારિક ગણીને ગામલોકોએ કૂતરાનું ફૂલહારથી સ્વાગત કર્યું, ગામમાં યાત્રા પણ કાઢી અને ભોજનસમારંભ પણ યોજ્યો હતો.


Whatsapp-channel Whatsapp-channel

01 August, 2024 10:49 AM IST | Mumbai | Gujarati Mid-day Correspondent

App Banner App Banner

અન્ય લેખો


This website uses cookie or similar technologies, to enhance your browsing experience and provide personalised recommendations. By continuing to use our website, you agree to our Privacy Policy and Cookie Policy. OK