સ્મૃતિ ઈરાનીએ એક કાર્યક્રમમાં સવાલ ઉઠાવ્યો હતો કે શું સમાજ તરીકે આપણે આ કડવી વાસ્તવિકતાનો સામનો કરવા માટે કેટલા સજ્જ છીએ?
What`s Up!
સ્મૃતિ ઈરાની
મહિલા અને બાળ વિકાસ પ્રધાન સ્મૃતિ ઈરાનીએ એક કાર્યક્રમમાં કહ્યું કે ‘સંતાનો ૧૮થી ૨૦ વર્ષનાં થયા બાદ માતા-પિતાને છોડી રહ્યાં છે. શું આપણે આ ‘કડવી વાસ્તવિકતા’નો સામનો કરવા તૈયાર છીએ?’
‘ભારતીય સમાજમાં પરંપરાગત રીતે કૌટુંબિક મૂલ્યો છે પરંતુ આપણે ઘણા નાના પરિવારોનો તેમ જ સિંગલ પેરન્ટ્સનો દેશ બની રહ્યા છીએ એમ જણાવતાં તેમણે ઉમેર્યું કે ‘અમારી પાસે વધુ ને વધુ એવા પરિવાર છે જ્યાં ૧૮ કે ૨૦ અથવા તો ૨૫ વર્ષથી વધુ ઉંમરનાં બાળકો માતા-પિતાથી અલગ થઈ જાય છે. આ એક કડવી વાસ્તવિકતા છે જેની સાથે આપણે જીવી રહ્યાં છીએ. શું આપણે સામાજિક-આર્થિક પરિપ્રેક્ષ્યથી આ વાસ્તવિકતા માટે તૈયારી કરી રહ્યા છીએ?’
ADVERTISEMENT
સ્મૃતિ ઈરાનીએ ભવિષ્યમાં આવનારા સવાલો વિશે વાત કરતાં કહ્યું કે ‘શું આપણે વૃદ્ધાવસ્થાની સંભાળમાં રોકાણની જરૂરિયાત વિશે વિચારણા કરી છે? ભલે આપણે અત્યારે વિશ્વની સૌથી યંગ ઇકૉનૉમી હોઈએ, પરંતુ ભવિષ્યમાં વસ્તી કયા રોગથી પીડિત હશે એ આપણે બરાબર જાણીએ છીએ? એક સમય હતો જ્યારે મારાં માતા-પિતા અથવા તો અન્ય કોઈ વૃદ્ધાશ્રમ વિશે બોલે તો સમાજ તરફથી ખરેખર તીવ્ર પ્રતિક્રિયા આવતી હતી, પરંતુ હવે તો પહેલાં જેવું રીઍક્શન જોવા મળતું નથી. આપણે બધા આપણી આગામી બે જનરેશનની કલ્પના કરીએ તો શું આપણી પાસે વૃદ્ધાવસ્થાની સંભાળ માટે ઇન્ફ્રાસ્ટ્રક્ચર છે જે ભવિષ્યની વસ્તીના બજેટથી પણ મેળ ખાય છે.’