આરાધના પર એક વ્યક્તિનો ફોન આવ્યો હતો અને ભૂલથી તેમના ખાતામાં ૪.૯૮ લાખ રૂપિયા જમા થઈ ગયા હોવાનું કહી છેતરપિંડી કરી હતી
રાકેશ બેદીની પત્ની આરાધના
રાકેશ બેદીની પત્ની આરાધના સાથે ઑનલાઇન થયેલી છેતરપિંડી બાદ તેમના પૈસા પાછા રિકવર થઈ ગયા છે. આરાધના પર એક વ્યક્તિનો ફોન આવ્યો હતો અને ભૂલથી તેમના ખાતામાં ૪.૯૮ લાખ રૂપિયા જમા થઈ ગયા હોવાનું કહી છેતરપિંડી કરી હતી. તેમણે ઓશિવરા પોલીસ-સ્ટેશનમાં આ વિશે ફરિયાદ દાખલ કરી હતી. તપાસમાં સામે આવ્યું હતું કે આ પૈસાને એક થર્ડ પાર્ટી ઍપ્લિકેશનમાં ટ્રાન્સફર કરવામાં આવ્યા હતા. પોલીસે એ થર્ડ પાર્ટી ઍપ્લિકેશન સાથે સંપર્ક કરીને એ ટ્રાન્ઝૅક્શનને રિવર્સ કરવા કહ્યું હતું અને એ રીતે પૈસા રિક્વર થયા છે. આ વિશે રાકેશ બેદી કહે છે, ‘પોલીસ પાસે જવા માટે કોઈએ પણ શરમાવું ન જોઈએ. અમે પૈસા કપાયાની પંદર મિનિટમાં તેમની પાસે ગયા હતા અને એને કારણે અમને ખૂબ જ મદદ મળી છે. અમારા પૈસા મેળવવા માટે ઇન્વેસ્ટિગેશન ટીમે જે કામ કર્યું છે એનાથી અમે ખૂબ જ ખુશ છીએ. આજકાલ આવા કેસ વધી રહ્યા છે એટલે લોકોએ અલર્ટ રહેવું જોઈએ.’
![Join Whatsapp Channel Whatsapp-channel](https://www.gujaratimidday.com/assets/images/whatsapp-desk-modified.png)
![Join Whatsapp Channel Whatsapp-channel](https://www.gujaratimidday.com/assets/images/whatsapp-mobile.png)