Gujarati Mid-day

ઇ-પેપર

વેબસ્ટોરીઝ

વેબસ્ટોરીઝ


હોમ > સમાચાર > ચિત્ર-વિચિત્ર > આર્ટિકલ્સ > વૈજ્ઞાનિકે ઇજિપ્તમાં શ્રાપિત કબરનું રહસ્ય ઉકેલ્યાનો દાવો કર્યો

વૈજ્ઞાનિકે ઇજિપ્તમાં શ્રાપિત કબરનું રહસ્ય ઉકેલ્યાનો દાવો કર્યો

01 May, 2024 07:58 AM IST | Mumbai
Gujarati Mid-day Correspondent | feedbackgmd@mid-day.com

૩૦૦૦ વર્ષથી સીલ કરાયેલી આ કબર એટલાં હાઈ રેડિયેશન ઉત્પન્ન કરે છે કે જે લોકો એના સંપર્કમાં આવે છે તેને કોઈક બીમારી અથવા કૅન્સર થઈ શકે છે.

પ્રાચીન કબર

લાઇફ મસાલા

પ્રાચીન કબર


ઇજિપ્તના રાજા તુતનખામુનની શ્રાપિત કબરનું રહસ્ય ઉકેલવાનો એક વૈજ્ઞાનિકે દાવો કર્યો હતો. ૧૯૨૨માં કિંગ ટુટની કબર શોધનારા કેટલાક લોકોનું રહસ્યમય રીતે મૃત્યુ થયું હતું. વૈજ્ઞાનિક રૉસ ફેલોસે તાજેતરમાં જણાવ્યું હતું કે કબરમાંથી યુરેનિયમ અને ઝેરી કચરાના રેડિયેશનને લીધે આવું થયું હશે. ૩૦૦૦ વર્ષથી સીલ કરાયેલી આ કબર એટલાં હાઈ રેડિયેશન ઉત્પન્ન કરે છે કે જે લોકો એના સંપર્કમાં આવે છે તેને કોઈક બીમારી અથવા કૅન્સર થઈ શકે છે. આવું ઇજિપ્તની અન્ય પ્રાચીન કબરોમાં પણ જોવા મળ્યું છે. વૈજ્ઞાનિકે એવું પણ જણાવ્યું હતું કે આ કબર બનાવનારા લોકો આ જોખમ વિશે જાણતા હતા અને એટલે જ દીવાલો પર લખ્યું હતું કે ‘જે લોકો આ કબરને તોડશે તેનું મૃત્યુ થઈ જશે.’


Whatsapp-channel Whatsapp-channel

01 May, 2024 07:58 AM IST | Mumbai | Gujarati Mid-day Correspondent

App Banner App Banner

અન્ય લેખો


X
ક્વિઝમાં ભાગ લો અને જીતો ગિફ્ટ વાઉચર
This website uses cookie or similar technologies, to enhance your browsing experience and provide personalised recommendations. By continuing to use our website, you agree to our Privacy Policy and Cookie Policy. OK