૩૦૦૦ વર્ષથી સીલ કરાયેલી આ કબર એટલાં હાઈ રેડિયેશન ઉત્પન્ન કરે છે કે જે લોકો એના સંપર્કમાં આવે છે તેને કોઈક બીમારી અથવા કૅન્સર થઈ શકે છે.
લાઇફ મસાલા
પ્રાચીન કબર
ઇજિપ્તના રાજા તુતનખામુનની શ્રાપિત કબરનું રહસ્ય ઉકેલવાનો એક વૈજ્ઞાનિકે દાવો કર્યો હતો. ૧૯૨૨માં કિંગ ટુટની કબર શોધનારા કેટલાક લોકોનું રહસ્યમય રીતે મૃત્યુ થયું હતું. વૈજ્ઞાનિક રૉસ ફેલોસે તાજેતરમાં જણાવ્યું હતું કે કબરમાંથી યુરેનિયમ અને ઝેરી કચરાના રેડિયેશનને લીધે આવું થયું હશે. ૩૦૦૦ વર્ષથી સીલ કરાયેલી આ કબર એટલાં હાઈ રેડિયેશન ઉત્પન્ન કરે છે કે જે લોકો એના સંપર્કમાં આવે છે તેને કોઈક બીમારી અથવા કૅન્સર થઈ શકે છે. આવું ઇજિપ્તની અન્ય પ્રાચીન કબરોમાં પણ જોવા મળ્યું છે. વૈજ્ઞાનિકે એવું પણ જણાવ્યું હતું કે આ કબર બનાવનારા લોકો આ જોખમ વિશે જાણતા હતા અને એટલે જ દીવાલો પર લખ્યું હતું કે ‘જે લોકો આ કબરને તોડશે તેનું મૃત્યુ થઈ જશે.’