Mumbai Local Train Update : આજે સવારે ટેક્નિકલ ખામીને કારણે મધ્ય રેલવે પર લોકલ ટ્રેનોનું આવાગમન પ્રભાવિત થયું છે.
મુંબઈ લોકલ ટ્રેન
મંગળવારે સવારે મુંબઈ લોકલ ટ્રેનમાં મુસાફરી કરતા મુસાફરોને ભારે મુશ્કેલીનો સામનો કરવો પડ્યો હતો. ટેકનિકલ ખામીને કારણે મધ્ય રેલવેની સેવાઓમાં વિલંબ થયો હતો. આ કારણે સેન્ટ્રલ લાઇન પર મુસાફરી કરતા મુસાફરોને ઘણી અસુવિધા થઈ છે. જોકે, રેલવે વહીવટીતંત્ર લોકલ ટ્રેનોના ટ્રાફિકને સામાન્ય બનાવવા માટે શ્રેષ્ઠ પ્રયાસો કરી રહ્યું છે.
પ્રાપ્ત માહિતી અનુસાર, મંગળવારે સવારે મધ્ય રેલવેના ટિટવાલાથી છત્રપતિ શિવાજી મહારાજ ટર્મિનસ જતી લોકલ ટ્રેનો 20થી 30 મિનિટ મોડી દોડી રહી છે. ટેકનિકલ ખામીને કારણે મુંબઈ ઉપનગરીય ટ્રેન સેવાઓ પ્રભાવિત થઈ હતી. જેના કારણે મુસાફરોને ઘણી મુશ્કેલીઓનો સામનો કરવો પડી રહ્યો છે. સવારે લોકલ ટ્રેનો મોડી ચાલી રહી હોવાથી શહાદ, કલ્યાણ, ડોમ્બિવલી અને થાણે રેલવે સ્ટેશનો પર મુસાફરોની ભારે ભીડ જોવા મળી હતી.
ADVERTISEMENT
સેન્ટ્રલ લાઇનનું સમયપત્રક ખોરવાયું
એવું કહેવામાં આવી રહ્યું છે કે મંગળવારે સવારે 7.30 થી 8 વાગ્યાની વચ્ચે ટેકનિકલ ખામીને કારણે સેન્ટ્રલ રેલવેનો ટ્રાફિક પ્રભાવિત થયો હતો. જેના કારણે ટિટવાલા અને CSMT સ્ટેશન વચ્ચેના અપ અને ડાઉન રૂટ પરની તમામ ટ્રેનો 15 થી 20 મિનિટ મોડી પડી હતી. પરિણામે, મધ્ય રેલવેના સમગ્ર સમયપત્રકમાં વિક્ષેપ પડ્યો હતો. જેના કારણે સવારે કામ પર જનારા લોકોને ઘણી મુશ્કેલીઓનો સામનો કરવો પડ્યો હતો.
ઉલ્લેખનીય છે કે મુંબઈની `લાઈફલાઈન` લોકલ ટ્રેનમાંથી દરરોજ લાખો લોકો પ્રવાસ કરે છે, તેમાંથી કેટલાક લોકો દુર્ભાગ્યપૂર્ણ દુર્ઘટનાઓનો શિકાર બને છે. અનેક કેસમાં જોવામાં આવ્યું છે કે લોકલ ટ્રેનોમાં અત્યાધિક ભીડ હોવાને કારણે અનેક પ્રવાસીઓને પોતાનો જીવ પણ ગુમાવવો પડે છે. આ દરમિયાન મધ્ય રેલવેના ઉલ્લાસનગર અને કોપર રેલવે સ્ટેશન વચ્ચે એક જ દિવસમાં અલગ અલગ ઘટનાઓમાં ત્રણ પ્રવાસીઓના જીવ ગયા છે.
શુક્રવારે સાંજે 7.45 વાગ્યે પદ્મનાભ પુજારી (55) ટ્રેનના દરવાજા પર ઊલ્હાસનગરમાં ઉતરવા માટે ઊભો હતો. જોકે, તે વિઠ્ઠલવાડી અને ઉલ્હાસનગર સ્ટેશનો વચ્ચે ટ્રેનમાંથી પડી ગઈ હતી. ઇજાગ્રસ્તને સેન્ટ્રલ હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યા છે. બાદમાં ખાનગી હોસ્પિટલમાં સારવાર દરમિયાન તેનું મોત થયું હતું.
અન્ય એક ઘટનામાં ભિવંડીનો રહેવાસી સુનીલ ચવ્હાણ (24) ટ્રેનના દરવાજા પાસે ઊભો રહીને મુસાફરી કરી રહ્યો હતો. દરમિયાન, ચવ્હાણ ઠાકુરલી અને ડોમ્બિવલી સ્ટેશનો વચ્ચે પડી ગયો હતો. તેનું હોસ્પિટલમાં મૃત્યુ થયું હતું.
મુંબઈ લોકલ ટ્રેનની આ દુર્ઘટનામાં ત્રીજા મુસાફરનું મોત થયું હતું. શુક્રવારે સાંજે દિવા અને કોપર સ્ટેશનો વચ્ચે ટ્રેક પાર કરતી વખતે એક વ્યક્તિને ટ્રેનએ કચડી નાખ્યો હતો. તેનું ઘટનાસ્થળે જ કમકમાટીભર્યું મોત થયું હતું.
ઉલ્લેખનીય છે કે, મહારાષ્ટ્રના થાણે જિલ્લામાં સોમવારે સિગ્નલ ફેઇલ થવાને કારણે અહીં મધ્ય રેલવેના મુખ્ય કૉરિડોર પર લોકલ ટ્રેન સેવાઓ ખોરવાઈ ગઈ. અધિકારીઓએ આ માહિતી આપી.
મધ્ય રેલવેના એક પ્રવક્તાએ જણાવ્યું કે થાણેમાં બધી રેલવે લાઈનો પર ઉપનગરીય ક્ષેત્રોમાં સંચાલિત થતી ટ્રેન સેવાઓ સવારે 9.16 વાગ્યે કેટલીક ટેક્નિકલ ખામી સર્જાવાને કારણે ખોરવાઈ ગઈ હતી.


