Gujarati Mid-day
Happiest Places to Work

ઇ-પેપર

વેબસ્ટોરીઝ

વેબસ્ટોરીઝ


App banner App banner
હોમ > સમાચાર > ચિત્ર-વિચિત્ર > આર્ટિકલ્સ > લગ્નમાં દુલ્હનને આશીર્વાદ આપવા દાદાજી કબૂતર બનીને આવ્યા?

લગ્નમાં દુલ્હનને આશીર્વાદ આપવા દાદાજી કબૂતર બનીને આવ્યા?

Published : 16 June, 2025 12:33 PM | IST | Rajasthan
Gujarati Mid-day Correspondent | feedbackgmd@mid-day.com

કબૂતરને માથે બેઠેલું જોઈને પહેલાં તો લોકો હસવા લાગ્યા અને કોઈકે તો તરત જ એને ભગાવવાની કોશિશ પણ કરી

વાયરલ વીડિયોમાંથી સ્ક્રીન શૉટ

અજબગજબ

વાયરલ વીડિયોમાંથી સ્ક્રીન શૉટ


રાજસ્થાનના કરૌલીમાં એક લગ્નવિધિમાં અનોખી ઘટના ઘટી. લગ્નની વિધિ લગભગ સંપન્ન થવા આવી હતી ત્યારે અચાનક એક કબૂતર બહારથી ઊડીને આવ્યું અને દુલ્હનના માથે બેસી ગયું. ન એ કોઈથી ડરતું હતું, ન એ ફફડાટ કરીને કોઈને ડરાવતું હતું. કબૂતરને માથે બેઠેલું જોઈને પહેલાં તો લોકો હસવા લાગ્યા અને કોઈકે તો તરત જ એને ભગાવવાની કોશિશ પણ કરી. જોકે તરત જ એ વખતે દુલ્હનના પરિવારમાંથી કોઈકે દુલ્હનને જરાય હલ્યા વિના બેસી રહેવા કહ્યું. પંડિતજીએ પણ તરત કહ્યું કે આ પ્રકારની ઘટના ખૂબ શુભ હોય છે કેમ કે કબૂતર આત્મા અને પૂર્વજોનું પ્રતીક છે જે શુભ પ્રસંગે પોતાના આશીર્વાદ આપવા માટે દેખા દે છે. કોઈકને આ કબૂતરમાં દુલ્હનના દાદાજી જેવી વર્તણૂક દેખાઈ અને તેણે વાત ચલાવી કે આ તો દાદાજી દીકરીને આશીર્વાદ આપવા આવ્યા છે. એ હકીકત હોય કે ન હોય, પરંતુ દીકરીની વિદાય ન થઈ ત્યાં સુધી આ કબૂતર ત્યાં આસપાસ જ મંડરાતું રહ્યું હતું.


Whatsapp-channel Whatsapp-channel

16 June, 2025 12:33 PM IST | Rajasthan | Gujarati Mid-day Correspondent

App Banner App Banner

અન્ય લેખો


This website uses cookie or similar technologies, to enhance your browsing experience and provide personalised recommendations. By continuing to use our website, you agree to our Privacy Policy and Cookie Policy. OK