Gujarati Mid-day

ઇ-પેપર

વેબસ્ટોરીઝ

વેબસ્ટોરીઝ


હોમ > સમાચાર > ચિત્ર-વિચિત્ર > આર્ટિકલ્સ > મધ્ય પ્રદેશના આ જાણીતા કિલ્લામાં વાઘની વિઝિટને કારણે મુલાકાતીઓ આવતા બંધ થયા

મધ્ય પ્રદેશના આ જાણીતા કિલ્લામાં વાઘની વિઝિટને કારણે મુલાકાતીઓ આવતા બંધ થયા

29 April, 2024 09:25 AM IST | Mumbai
Gujarati Mid-day Correspondent | feedbackgmd@mid-day.com

રાયસેનના કિલ્લામાં દરરોજ લગભગ ૧૦૦થી ૧૫૦ પર્યટકો આવતા હતા અને હાલ આ સ્થળ સૂમસામ થઈ ગયું છે.

રાયસેન કિલ્લા પાસેની તસવીર

લાઇફ મસાલા

રાયસેન કિલ્લા પાસેની તસવીર


મધ્ય પ્રદેશનો જાણીતો રાયસેન કિલ્લો છેલ્લા ૩૬ દિવસથી મુલાકાતીઓ માટે બંધ છે, કારણ કે શહેર અને આસપાસનાં જંગલોમાં ટાઇગરની હિલચાલ જોવા મળી છે. ૨૧ માર્ચે ફૉરેસ્ટ વિભાગના સબ-ડિવિઝનલ ઑફિસર સુધીર પટલે અને તેમની ટીમ આ મામલે તપાસ કરવા નીકળ્યા ત્યારે તેમનો સામનો વાઘ સાથે થયો હતો. કિલ્લાની ટેકરી પર સોમેશ્વર ધામ મંદિરની પાછળથી નીકળેલો વાઘ ટીમને જોઈને પાછો ગયો હતો. ત્યારથી જ મુલાકાતીઓની સુરક્ષાને ધ્યાનમાં રાખીને કિલ્લાના મુખ્ય દરવાજાને તાળું મારી દેવામાં આવ્યું છે. રાયસેનના કિલ્લામાં દરરોજ લગભગ ૧૦૦થી ૧૫૦ પર્યટકો આવતા હતા અને હાલ આ સ્થળ સૂમસામ થઈ ગયું છે.


Whatsapp-channel Whatsapp-channel

29 April, 2024 09:25 AM IST | Mumbai | Gujarati Mid-day Correspondent

App Banner App Banner

અન્ય લેખો


X
ક્વિઝમાં ભાગ લો અને જીતો ગિફ્ટ વાઉચર
This website uses cookie or similar technologies, to enhance your browsing experience and provide personalised recommendations. By continuing to use our website, you agree to our Privacy Policy and Cookie Policy. OK