રાયસેનના કિલ્લામાં દરરોજ લગભગ ૧૦૦થી ૧૫૦ પર્યટકો આવતા હતા અને હાલ આ સ્થળ સૂમસામ થઈ ગયું છે.
લાઇફ મસાલા
રાયસેન કિલ્લા પાસેની તસવીર
મધ્ય પ્રદેશનો જાણીતો રાયસેન કિલ્લો છેલ્લા ૩૬ દિવસથી મુલાકાતીઓ માટે બંધ છે, કારણ કે શહેર અને આસપાસનાં જંગલોમાં ટાઇગરની હિલચાલ જોવા મળી છે. ૨૧ માર્ચે ફૉરેસ્ટ વિભાગના સબ-ડિવિઝનલ ઑફિસર સુધીર પટલે અને તેમની ટીમ આ મામલે તપાસ કરવા નીકળ્યા ત્યારે તેમનો સામનો વાઘ સાથે થયો હતો. કિલ્લાની ટેકરી પર સોમેશ્વર ધામ મંદિરની પાછળથી નીકળેલો વાઘ ટીમને જોઈને પાછો ગયો હતો. ત્યારથી જ મુલાકાતીઓની સુરક્ષાને ધ્યાનમાં રાખીને કિલ્લાના મુખ્ય દરવાજાને તાળું મારી દેવામાં આવ્યું છે. રાયસેનના કિલ્લામાં દરરોજ લગભગ ૧૦૦થી ૧૫૦ પર્યટકો આવતા હતા અને હાલ આ સ્થળ સૂમસામ થઈ ગયું છે.