Gujarati Mid-day

ઇ-પેપર

વેબસ્ટોરીઝ

વેબસ્ટોરીઝ


App banner App banner
હોમ > સમાચાર > ચિત્ર-વિચિત્ર > આર્ટિકલ્સ > વાંદરાથી પાકને બચાવવા ખેડૂતો રીંછ બનીને પહેરો ભરે છે

વાંદરાથી પાકને બચાવવા ખેડૂતો રીંછ બનીને પહેરો ભરે છે

Published : 19 March, 2026 12:17 PM | IST | Uttar Pradesh
Gujarati Mid-day Correspondent | feedbackgmd@mid-day.com

ઉત્તર પ્રદેશના સંભલ જિલ્લાના ફિરોજપુર ગામમાં ખેડૂતો હવે વાંદરાઓના આતંકથી પરેશાન થઈ ગયા છે

સાંજના સમયે વાંદરા આવવાનો સમય હોય ત્યારે ખાસ રીંછ બનીને તેઓ ખેતરનો પહેરો ભરે છે.

અજબ ગજબ

સાંજના સમયે વાંદરા આવવાનો સમય હોય ત્યારે ખાસ રીંછ બનીને તેઓ ખેતરનો પહેરો ભરે છે.


ઉત્તર પ્રદેશના સંભલ જિલ્લાના ફિરોજપુર ગામમાં ખેડૂતો હવે વાંદરાઓના આતંકથી પરેશાન થઈ ગયા છે. વાંદરાઓ ઊભા પાકમાં તોફાન મચાવી જાય છે અને આખો પાક બગાડી જાય છે. તેઓ ખેતરની પાસે આવેલાં ઘરોમાં ઘૂસીને ખાવા-પીવાનો સામાન ઉઠાવીને લઈ જાય છે. એમને હવે લાકડી લઈને ઘૂમતા માણસોનો પણ ડર નથી લાગતો. વનવિભાગને અનેક વાર ફરિયાદ કર્યા પછી પણ કોઈ સ્થાયી સમાધાન ન મળતાં ખેડૂતોએ હવે વાંદરાઓને ડરાવવા માટે રીંછનો સહારો લીધો છે. જંગલી પ્રાણી રીંછથી વાંદરા ડરે છે એટલે ખેડૂતોએ ખેતરની રખેવાળી કરવા માટે રીંછનો કૉસ્ચ્યુમ વસાવી લીધો છે. તેઓ વાંદરા નીકળે એટલે તરત રીંછનાં કપડાં પહેરીને નીકળી પડે છે. સાંજના સમયે વાંદરા આવવાનો સમય હોય ત્યારે ખાસ રીંછ બનીને તેઓ ખેતરનો પહેરો ભરે છે. એને કારણે વાંદરા ડરીને થોડા સમય માટે ત્યાંથી ગાયબ થઈ જાય છે. જોકે આ પણ કોઈ કાયમી સૉલ્યુશન નથી. 


Whatsapp-channel Whatsapp-channel

19 March, 2026 12:17 PM IST | Uttar Pradesh | Gujarati Mid-day Correspondent

App Banner App Banner

અન્ય લેખો


This website uses cookie or similar technologies, to enhance your browsing experience and provide personalised recommendations. By continuing to use our website, you agree to our Privacy Policy and Cookie Policy. OK