Gujarati Mid-day

ઇ-પેપર

વેબસ્ટોરીઝ

વેબસ્ટોરીઝ


App banner App banner
હોમ > સમાચાર > ચિત્ર-વિચિત્ર > આર્ટિકલ્સ > છત્તીસગઢના રાયપુરમાં રાશનનું ATM શરૂ થયું

છત્તીસગઢના રાયપુરમાં રાશનનું ATM શરૂ થયું

Published : 13 August, 2026 04:09 PM | IST | Raipur
Gujarati Mid-day Correspondent | feedbackgmd@mid-day.com

રાયપુરમાં ૨૪ કલાક કાર્યરત અન્નપૂર્તિ ગ્રેઇન ATM શરૂ થયું છે. રાશન કાર્ડ અને બાયોમેટ્રિક વેરિફિકેશનથી લાભાર્થીઓ પોતાના ક્વોટા મુજબ ચોખા અને અન્ય અનાજ મેળવી શકશે.

છત્તીસગઢના રાયપુરમાં રાશનનું ATM શરૂ થયું

છત્તીસગઢના રાયપુરમાં રાશનનું ATM શરૂ થયું


છત્તીસગઢના રાયપુરમાં ચોવીસ કલાક અને સાતેય દિવસ કાર્યરત રહે એવું અન્નપૂર્તિ ગ્રેઇન ATM શરૂ કરવામાં આવ્યું છે. રાયપુરમાં રાશન માટે એલિબિજિલ લોકોને કાર્ડ આપવામાં આવ્યાં છે. જેમની પાસે આ કાર્ડ છે તેઓ દર મહિને તેમના ક્વોટા મુજબના ચોખા અને અન્ય રાશન આ ઑટોમેટેડ સિસ્ટમમાંથી લઈ શકે છે. આ કાર્ડની સાથે કાર્ડધારકોએ બાયોમેટ્રિક ઑથેન્ટિકેશન પણ કરાવવાનું રહે છે. આ ઑટોમેટેડ મશીનને કારણે રાશનની દુકાનના ફિક્સ્ડ ટાઇમિંગ મુજબ લાઇન લગાવવાની ઝંઝટમાંથી લોકોને મુક્તિ મળી ગઈ છે. દરેક મશીનમાં લગભગ ૨૫૦૦ ગ્રામ ચોખા સ્ટોર કરવાની ક્ષમતા છે. રાશન કાર્ડ અને ફિન્ગરપ્રિન્ટના વેરિફિકેશનથી જે-તે વ્યક્તિના ક્વોટા મુજબનું અનાજ બહાર નીકળે છે. 


Whatsapp-channel Whatsapp-channel

13 August, 2026 04:09 PM IST | Raipur | Gujarati Mid-day Correspondent

App Banner App Banner

અન્ય લેખો


This website uses cookie or similar technologies, to enhance your browsing experience and provide personalised recommendations. By continuing to use our website, you agree to our Privacy Policy and Cookie Policy. OK