Gujarati Mid-day
Happiest Places to Work

ઇ-પેપર

વેબસ્ટોરીઝ

વેબસ્ટોરીઝ


App banner App banner
હોમ > સમાચાર > ચિત્ર-વિચિત્ર > આર્ટિકલ્સ > વરસાદ આવે એ માટે શબયાત્રા કાઢી

વરસાદ આવે એ માટે શબયાત્રા કાઢી

Published : 08 August, 2025 08:34 AM | IST | Madhya Pradesh
Gujarati Mid-day Correspondent | feedbackgmd@mid-day.com

મધ્ય પ્રદેશના બડવાની જિલ્લાના એક ગામમાં આ ટોટકા પછી હવે લોકો માને છે કે બહુ જલદીથી મેઘરાજા તેમના ગામે પણ દસ્તક દેશે. 

શબયાત્રા

અજબગજબ

શબયાત્રા


ઉત્તર ભારતનાં કેટલાંય ગામો જળબંબાકાર થઈને પૂરથી ઝૂઝી રહ્યાં છે ત્યારે મધ્ય પ્રદેશનાં કેટલાંક ગામો પૂરતા વરસાદના અભાવે ટટળી રહ્યાં છે. તેમના ગામે પણ વરસાદની પધરામણી થાય એ માટે ગામલોકોએ જાતજાતના ટોટકા અપનાવવાનું શરૂ કરી દીધું છે. આ ટોટકા મુજબ ગામમાં જીવતા માણસની શબયાત્રા કાઢવામાં આવી હતી. જીવિત માણસને અરથી પર સુવાડીને એની શબયાત્રા ગામમાં ફેરવવામાં આવી. તેની અરથી પાસે બેસીને લોકોએ આંસુ પણ સાર્યાં અને ગામની બહાર જઈને એને દાહસંસ્કાર પણ આપવામાં આવ્યા. અલબત્ત, છેલ્લે જ્યારે દાહ સંસ્કાર આપવાના હતા ત્યારે ‌જીવતા માણસની જગ્યાએ નકલી પૂતળું મૂકી દેવામાં આવ્યું અને અરથી પર સૂતેલા માણસના લાંબા જીવન માટે પ્રાર્થના કરવામાં આવી. ગામલોકોને કહેવામાં આવ્યું હતું કે જો કોઈ વ્ય‌ક્તિની અંતિમયાત્રામાં આખા ગામના લોકો ભેગા થઈને પ્રાર્થના કરશે તો પાક સૂકવી નાખે એવી ગરમી ઘટશે અને વરસાદ આવશે. મધ્ય પ્રદેશના બડવાની જિલ્લાના એક ગામમાં આ ટોટકા પછી હવે લોકો માને છે કે બહુ જલદીથી મેઘરાજા તેમના ગામે પણ દસ્તક દેશે. 


Whatsapp-channel Whatsapp-channel

08 August, 2025 08:34 AM IST | Madhya Pradesh | Gujarati Mid-day Correspondent

App Banner App Banner

અન્ય લેખો


This website uses cookie or similar technologies, to enhance your browsing experience and provide personalised recommendations. By continuing to use our website, you agree to our Privacy Policy and Cookie Policy. OK