Gujarati Mid-day
Happiest Places to Work

ઇ-પેપર

વેબસ્ટોરીઝ

વેબસ્ટોરીઝ


App banner App banner
હોમ > સમાચાર > રાષ્ટ્રીય સમાચાર > આર્ટિકલ્સ > નૈનીતાલ ફરવા જવું હોય તો ટૂરિસ્ટ કારે પહેલી ડિસેમ્બરથી ૧૫૦ રૂપિયા ગ્રીન ટૅક્સ ભરવો પડશે

નૈનીતાલ ફરવા જવું હોય તો ટૂરિસ્ટ કારે પહેલી ડિસેમ્બરથી ૧૫૦ રૂપિયા ગ્રીન ટૅક્સ ભરવો પડશે

Published : 10 November, 2025 07:33 AM | IST | Nainital
Gujarati Mid-day Correspondent | feedbackgmd@mid-day.com

ટૅક્સ તરીકે વસૂલ કરવામાં આવેલી રકમ ટૂરિઝમ માટેની વ્યવસ્થાઓ બહેતર બનાવવામાં વપરાશે.

પ્રતીકાત્મક તસવીર

પ્રતીકાત્મક તસવીર


છેલ્લા કેટલાક સમયથી ટ્રાફિકને કારણે પ્રદૂષણથી પરેશાન થતા નૈનીતાલે પર્યાવરણને બચાવવા માટે ટૂરિસ્ટો પાસેથી ગ્રીન ટૅક્સ વસૂલ કરવાનું નક્કી કર્યું છે. આ નિયમ પહેલી ડિસેમ્બરથી લાગુ પડશે. આ નિયમ અંતર્ગત બીજાં રાજ્યોમાંથી નૈનીતાલમાં કાર લઈને પ્રવેશનારા પર્યટકોએ ગ્રીન ટૅક્સ તરીકે ૧૫૦ રૂપિયા ટૅક્સ ભરવાનો રહેશે. આ માટે ભવાલી, હલ્દવાની રોડ અને નારાયણનગરમાં ટૅક્સબૂથ બનાવવામાં આવ્યાં છે. ઉત્તરાખંડ પરિવહનની બસોને ટૅક્સમાંથી છૂટ આપવામાં આવી છે. પ્રશાસનનું માનવું છે કે આ નિયમથી પ્રદૂષણ નિયંત્રણ તો થશે જ, સાથે નૈનીતાલની પ્રાકૃતિક સુંદરતા પણ સેફ રહેશે. ટૅક્સ તરીકે વસૂલ કરવામાં આવેલી રકમ ટૂરિઝમ માટેની વ્યવસ્થાઓ બહેતર બનાવવામાં વપરાશે. 


Whatsapp-channel Whatsapp-channel

10 November, 2025 07:33 AM IST | Nainital | Gujarati Mid-day Correspondent

App Banner App Banner

અન્ય લેખો


This website uses cookie or similar technologies, to enhance your browsing experience and provide personalised recommendations. By continuing to use our website, you agree to our Privacy Policy and Cookie Policy. OK