Gujarati Mid-day
Happiest Places to Work

ઇ-પેપર

વેબસ્ટોરીઝ

વેબસ્ટોરીઝ


App banner App banner
હોમ > સમાચાર > રાષ્ટ્રીય સમાચાર > આર્ટિકલ્સ > હોળીને કારણે મજૂરો ગામ ગયા હોવાથી રામ મંદિરના બાંધકામને પૂરું થવામાં થોડો વિલંબ થશે

હોળીને કારણે મજૂરો ગામ ગયા હોવાથી રામ મંદિરના બાંધકામને પૂરું થવામાં થોડો વિલંબ થશે

Published : 10 March, 2025 08:20 AM | IST | Uttar Pradesh
Gujarati Mid-day Correspondent | feedbackgmd@mid-day.com

જાન્યુઆરી મહિનામાં નૃપેન્દ્ર મિશ્રાએ જણાવ્યું હતું કે માર્ચ મહિના સુધીમાં મંદિરનું બાંધકામ પૂરું થઈ જશે

રામ મંદિર

રામ મંદિર


ઉત્તર પ્રદેશના અયોધ્યામાં રામ મંદિર કૉમ્પ્લેક્સમાં હોળીને કારણે મંદિરના ઘણા વર્કરો તેમના ગામ જઈ રહ્યા હોવાથી બાંધકામમાં વિલંબ થઈ રહ્યો છે એમ શ્રી રામજન્મભૂમિ મંદિર બાંધકામ સમિતિના ચૅરમૅન નૃપેન્દ્ર મિશ્રાએ જણાવ્યું હતું. આમ છતાં ૧૫ એપ્રિલ સુધીમાં મંદિરનું બાંધકામ પૂરું થઈ જવાનો આશાવાદ તેમણે વ્યક્ત કર્યો હતો. આશરે ૨૦,૦૦૦ ઘનફુટના પથ્થરો હજી મંદિરના બાંધકામમાં ફિટ કરવાના બાકી છે.


૩૦ એપ્રિલ સુધીમાં મૂર્તિઓ લાગશે



મંદિરમાં મૂર્તિ લગાવવાના મુદ્દે નૃપેન્દ્ર મિશ્રાએ કહ્યું હતું કે ગોસ્વામી તુલસીદાસની પ્રતિમા આજે લગાવવામાં આવશે અને બાકીની મૂર્તિઓ ૨૫ માર્ચથી ૧૫ એપ્રિલ સુધીમાં અને મોડામાં મોડી ૩૦ એપ્રિલ સુધીમાં લગાવી દેવામાં આવશે.


જાન્યુઆરી મહિનામાં નૃપેન્દ્ર મિશ્રાએ જણાવ્યું હતું કે માર્ચ મહિના સુધીમાં મંદિરનું બાંધકામ પૂરું થઈ જશે. જોકે પરિક્રમા માર્ગના સુશોભીકરણના કાર્યને કારણે એમાં વિલંબ થયો છે.
રામ મંદિર નાગર સ્ટાઇલમાં બાંધવામાં આવી રહ્યું છે. એની લંબાઈ (પૂર્વ-પશ્ચિમ) ૩૮૦ ફુટ, પહોળાઈ ૨૫૦ ફુટ અને ઊંચાઈ ૧૯૧ ફુટ છે. એમાં ૩૯૨ પિલર્સ અને ૪૪ દરવાજા છે.


Whatsapp-channel Whatsapp-channel

10 March, 2025 08:20 AM IST | Uttar Pradesh | Gujarati Mid-day Correspondent

App Banner App Banner

અન્ય લેખો


This website uses cookie or similar technologies, to enhance your browsing experience and provide personalised recommendations. By continuing to use our website, you agree to our Privacy Policy and Cookie Policy. OK