મંદિરનું સંચાલન કરતા શ્રીરામ જન્મભૂમિ તીર્થક્ષેત્ર અને અયોધ્યા પ્રશાસને આ નિર્ણય લીધો છે.
રામમંદિર
અયોધ્યામાં આવેલા રામમંદિર પરિસરમાં મોબાઇલ ફોનના ઉપયોગ પર પ્રતિબંધ મૂકી દેવામાં આવ્યો છે. મંદિરનું સંચાલન કરતા શ્રીરામ જન્મભૂમિ તીર્થક્ષેત્ર અને અયોધ્યા પ્રશાસને આ નિર્ણય લીધો છે. મંદિરના ટ્રસ્ટી અનિલ મિશ્રાએ કહ્યું હતું કે ‘ભાવિકોની સુરક્ષા વધારવા અને સુવિધામાં વધારો કરવાના ઉદ્દેશથી આ નિર્ણય લેવામાં આવ્યો છે. રામમંદિરમાં આવનારા ભાવિકોએ આ નિર્ણયને માન આપવું જોઈએ અને તેમણે મંદિર પરિસરમાં આવેલી ક્લોકરૂમ સુવિધાનો ઉપયોગ કરવો જોઈએ. એમાં ભાવિકોએ તેમની મૂલ્યવાન વસ્તુઓ રાખવી જોઈએ. આ નિર્ણયના અમલીકરણ માટે ભાવિકોએ અમને સહકાર આપવો જોઈએ.’
![Join Whatsapp Channel Whatsapp-channel](https://www.gujaratimidday.com/assets/images/whatsapp-desk-modified.png)
![Join Whatsapp Channel Whatsapp-channel](https://www.gujaratimidday.com/assets/images/whatsapp-mobile.png)