તામિલનાડુ વિધાનસભામાં ઉદયનિધિ સ્ટૅલિનનું ફરી વિવાદાસ્પદ નિવેદન
તામિલનાડુની નવનિર્વાચિત વિધાનસભાના બીજા સત્ર દરમ્યાન વિપક્ષના નેતા અને દ્રવિડ મુન્નેત્ર કઝઘમ (DMK)ના વિધાનસભ્ય ઉદયનિધિ સ્ટૅલિન
તામિલનાડુની નવનિર્વાચિત વિધાનસભાના બીજા સત્ર દરમ્યાન વિપક્ષના નેતા અને દ્રવિડ મુન્નેત્ર કઝઘમ (DMK)ના વિધાનસભ્ય ઉદયનિધિ સ્ટૅલિને સનાતન ધર્મ અંગે ફરી એક વાર અત્યંત વિવાદાસ્પદ ટિપ્પણી કરી છે. ગૃહમાં સંબોધન કરતાં તેમણે કહ્યું હતું કે ‘સનાતન ધર્મ, જે લોકોને વિભાજિત કરવાનું કામ કરે છે એને જડમૂળથી ઉખેડી નાખવો જોઈએ.’
ઉદયનિધિ સ્ટૅલિન અગાઉ પણ સનાતન ધર્મ વિરુદ્ધ વિવાદિત ટિપ્પણી કરી ચૂક્યા છે. ૨૦૨૩માં એક કાર્યક્રમ દરમ્યાન તેમણે સનાતન ધર્મની સરખામણી મચ્છર, ડેન્ગી અને મલેરિયા સાથે કરી હતી. એ સમયે તેમણે કહ્યું હતું કે કેટલીક વસ્તુઓનો માત્ર વિરોધ કરવો પૂરતો નથી, પરંતુ એને નાબૂદ કરવી જરૂરી છે. તેમના આ નિવેદન બાદ દેશભરમાં ભારે આક્રોશ જોવા મળ્યો હતો અને અનેક જગ્યાએ કાનૂની ફરિયાદો પણ થઈ હતી.
