RCB IPL જીતી એની ઉજવણી દરમ્યાન થયેલી નાસભાગમાં ૧૧ વ્યક્તિઓના જીવ ગયા
વિરાટ કોહલી
રૉયલ ચૅલેન્જર્સ બેન્ગલુરુ (RCB) IPL જીતી એની ઉજવણી દરમ્યાન થયેલી નાસભાગમાં ૧૧ વ્યક્તિઓના જીવ ગયા એ સંદર્ભમાં ભારતીય ક્રિકેટર વિરાટ કોહલી વિરુદ્ધ બૅન્ગલોરના કબ્બન પાર્ક પોલીસ-સ્ટેશનમાં ગઈ કાલે સત્તાવાર ફરિયાદ નોંધાઈ છે.
આ ઘટનાક્રમ પરથી સ્પષ્ટ થાય છે કે પોલીસ વિરાટ કોહલી વિરુદ્ધની ફરિયાદને ગંભીરતાથી લઈ રહી છે અને તેને તપાસ હેઠળ સામેલ કરી રહી છે. હાલમાં આ ફરિયાદમાં ઉઠાવવામાં આવેલા મુદ્દા અને આરોપના પ્રકાર વિશે કોઈ માહિતી બહાર આવી નથી. જેમ-જેમ તપાસ આગળ વધશે એમ વધુ વિગતો બહાર આવવાની શક્યતા છે. પોલીસનું કહેવું છે કે ન્યાયિક પ્રક્રિયા હેઠળ તપાસ નિષ્પક્ષ રીતે હાથ ધરવામાં આવશે.

