Gujarati Mid-day
Happiest Places to Work

ઇ-પેપર

વેબસ્ટોરીઝ

વેબસ્ટોરીઝ


App banner App banner
હોમ > સમાચાર > રાષ્ટ્રીય સમાચાર > આર્ટિકલ્સ > વેપારીઓને ૩૫૦+ નાના અપરાધો માટે કોઈ સજા નહીં થાય

વેપારીઓને ૩૫૦+ નાના અપરાધો માટે કોઈ સજા નહીં થાય

Published : 19 August, 2025 10:16 AM | IST | New Delhi
Gujarati Mid-day Correspondent | feedbackgmd@mid-day.com

કૉમર્સ મિનિસ્ટરે લોકસભામાં રજૂ કર્યું જન વિશ્વાસ બિલ 2.0

પીયૂષ ગોયલ

પીયૂષ ગોયલ


કૉમર્સ મિનિસ્ટર પીયૂષ ગોયલે લોકસભામાં ગઈ કાલે જન વિશ્વાસ (સુધારા) બિલ 2.0 રજૂ કર્યું હતું જેમાં નાના ગુનાઓને અપરાધમુક્ત જાહેર કરવા માટે ૩૫૦થી વધુ સુધારા સામેલ છે. ઘણા ફેરફાર હેઠળ હવે નાના ગુનાઓ માટે કોઈ સજા નહીં થાય. આ બિલ સિલેક્ટ કમિટીને મોકલવામાં આવ્યું છે જે શિયાળુ સત્રમાં એનો અહેવાલ રજૂ કરશે. આ બિલની શરતો અને નિયમો લોકસભાના અધ્યક્ષ નક્કી કરશે.

આ પગલાથી ઉદ્યોગપતિઓ માટે વ્યવસાય કરવાનું વધુ સરળ બનશે. સરકારે પહેલાંથી જ ૧૮૩ નાના ગુનાઓને અપરાધમુક્ત જાહેર કરી દીધા છે અને હવે અન્ય ઘણી જોગવાઈઓમાંથી જેલની સજા પણ દૂર કરવામાં આવશે.



આ પહેલ દેશમાં વ્યવસાય અને નાગરિક-કેન્દ્રિત વાતાવરણને મજબૂત બનાવશે. ૨૦૨૩માં પણ જન વિશ્વાસ કાયદો રજૂ કરવામાં આવ્યો હતો, જેના હેઠળ ૧૯ મંત્રાલયો અને વિભાગોના ૪૨ કેન્દ્રીય કાયદાઓની ૧૮૩ જોગવાઈઓને અપરાધમુક્ત જાહેર કરવામાં આવી હતી. કેટલાક નિયમો એવા છે જેમાં સજા નાબૂદ કરવામાં આવી છે, પરંતુ દંડ લાદવામાં આવશે.


Whatsapp-channel Whatsapp-channel

19 August, 2025 10:16 AM IST | New Delhi | Gujarati Mid-day Correspondent

App Banner App Banner

અન્ય લેખો


This website uses cookie or similar technologies, to enhance your browsing experience and provide personalised recommendations. By continuing to use our website, you agree to our Privacy Policy and Cookie Policy. OK