Gujarati Mid-day

ઇ-પેપર

વેબસ્ટોરીઝ

વેબસ્ટોરીઝ


હોમ > સમાચાર > રાષ્ટ્રીય સમાચાર > આર્ટિકલ્સ > તીર્થસ્થળ જ બની રહેશે સમેતશિખર, પ્રવાસન સ્થળમાં પરિવર્તિત નહીં કરાય

તીર્થસ્થળ જ બની રહેશે સમેતશિખર, પ્રવાસન સ્થળમાં પરિવર્તિત નહીં કરાય

19 January, 2023 11:32 AM IST | New Delhi
Gujarati Mid-day Correspondent | feedbackgmd@mid-day.com

મંગળવારે આ મામલે થયેલી સુનાવણી દરમ્યાન ઝારખંડ સરકારે એવી ખાતરી આપી હતી કે બહુ જલદી આ મામલે આદેશ બહાર પાડવામાં આવશે.’

જૈનોનું પવિત્ર સ્થળ સમેતશિખરજી

જૈનોનું પવિત્ર સ્થળ સમેતશિખરજી


નવી દિલ્હી : નૅશનલ કમિશન ફૉર માઇનોરિટીના (એનસીએમ) અધ્યક્ષ ઇકબાલ સિંહ લાલપુરાએ ગઈ કાલે કહ્યું હતું કે કેન્દ્ર તથા ઝારખંડ સરકારે નક્કી કર્યું છે કે જૈનોનું પવિત્ર સ્થળ સમેતશિખરજી તીર્થસ્થળ જ બની રહેશે, એને પ્રવાસન સ્થળમાં પરિવર્તિત નહીં કરવામાં આવે. મંગળવારે આ મામલે થયેલી સુનાવણી દરમ્યાન ઝારખંડ સરકારે એવી ખાતરી આપી હતી કે બહુ જલદી આ મામલે આદેશ બહાર પાડવામાં આવશે.’

ઇકબાલ સિંહે ગઈ કાલે એક પ્રેસ-કૉન્ફરન્સમાં કહ્યું હતું કે ‘ઝારખંડમાં આવેલા સમેતશિખરજી મામલે જૈનો વિરોધ કરી રહ્યા હતા. ત્યાં દારૂ અને માંસ નહીં મળે. અમે અમારી ભલામણોના સ્વીકાર બદલ કેન્દ્ર તેમ જ રાજ્ય સરકારના આભારી છીએ.’ 



ઝારખંડ સરકારે સમેત શિખરને પ્રવાસન સ્થળ તરીકે વિકસાવવાના કરેલા નિર્ણયને લઈને જૈન સમાજનાં ઘણાં પ્રતિનિધિમંડળે એનસીએમને મળીને વિવિધ રજૂઆતો કરી હતી. 


Whatsapp-channel Whatsapp-channel

19 January, 2023 11:32 AM IST | New Delhi | Gujarati Mid-day Correspondent

App Banner App Banner

અન્ય લેખો


X
ક્વિઝમાં ભાગ લો અને જીતો ગિફ્ટ વાઉચર
This website uses cookie or similar technologies, to enhance your browsing experience and provide personalised recommendations. By continuing to use our website, you agree to our Privacy Policy and Cookie Policy. OK