મિડલ ઈસ્ટના યુદ્ધને કારણે ઊભા થયેલા ઊર્જાસંકટ વિશે ચર્ચા કરશે
નરેન્દ્ર મોદી
અમેરિકા-ઇઝરાયલ અને ઈરાન વચ્ચે ચાલી રહેલા યુદ્ધને કારણે સર્જાયેલા વૈશ્વિક સંકટની સ્થિતિને કારણે ભારત પર પડનારી અસર માટે નરેન્દ્ર મોદી ભારતનાં તમામ રાજ્યોના મુખ્ય પ્રધાનો સાથે આજે ઑનલાઇન મીટિંગ કરવાના છે. એમાં દરેક રાજ્યની તૈયારીઓની સમીક્ષા કરવામાં આવશે. આ મીટિંગમાં એ રાજ્યના મુખ્ય પ્રધાનો નહીં હાજર રહે જ્યાં વિધાનસભાની ચૂંટણીની તારીખો જાહેર થઈ ચૂકી છે. આ બેઠકનો ઉદ્દેશ ટીમ ઇન્ડિયાની ભાવના સાથે ઊર્જા-સંકટનો સામનો કરવાના પ્રયાસોમાં તમામ રાજ્યો વચ્ચે તાલમેલ સુનિશ્ચિત કરવાનો છે.
