Gujarati Mid-day

ઇ-પેપર

વેબસ્ટોરીઝ

વેબસ્ટોરીઝ


Food fun and filmstar Food fun and filmstar
હોમ > સમાચાર > રાષ્ટ્રીય સમાચાર > આર્ટિકલ્સ > Modi 3.0: મનોહર લાલ, કુમારસ્વામી, શિવરાજ સહિત આ નેતાઓને મળશે કેબિનેટમાં સ્થાન? જોઈ લો યાદી

Modi 3.0: મનોહર લાલ, કુમારસ્વામી, શિવરાજ સહિત આ નેતાઓને મળશે કેબિનેટમાં સ્થાન? જોઈ લો યાદી

09 June, 2024 02:21 PM IST | New Delhi
Gujarati Mid-day Online Correspondent | gmddigital@mid-day.com

Modi 3.0: નરેન્દ્ર મોદીના ત્રીજા કાર્યકાળમાં સંભવિત મંત્રીઓની યાદી આવી ગઈ છે, કયા નેતાને મળશે સ્થાન તે તમે પણ જાણી લો

ફાઇલ તસવીર

ફાઇલ તસવીર


લોકસભા ચૂંટણી ૨૦૨૪ (Lok Sabha Elections 2024) માં એનડીએ (National Democratic Alliance - NDA) ને બહુમતી મળ્યા બાદ નરેન્દ્ર મોદી (Narendra Modi) આજે ત્રીજી વખત વડાપ્રધાન તરીકે શપથ લેશે. મોદીની સાથે તેમની નવી કેબિનેટ (Modi 3.0) ના મંત્રીઓ પણ શપથ લેશે. આ દરમિયાન મોદી કેબિનેટના સંભવિત મંત્રીઓની યાદી પણ બહાર આવી છે.


સમાચાર એજન્સી પીટીઆઈના સૂત્રોના જણાવ્યા અનુસાર, ભારતીય જનતા પાર્ટી - ભાજપ (Bharatiya Janata Party - BJP) નેતા મનોહર લાલ (Manohar Lal), શિવરાજ સિંહ ચૌહાણ (Shivraj Singh Chouhan), બંડી સંજય કુમાર (Bandi Sanjay Kumar) અને રવનીત સિંહ બિટ્ટુ (Ravneet Singh Bittu) કેન્દ્રીય મંત્રી પરિષદમાં નવા ચહેરાઓમાં સામેલ થઈ શકે છે, જે નરેન્દ્ર મોદી સાથે શપથ લેશે.



સૂત્રોએ જણાવ્યું કે, અમિત શાહ (Amit Shah), રાજનાથ સિંહ (Rajnath Singh), નીતિન ગડકરી (Nitin Gadkari), પીયૂષ ગોયલ (Piyush Goyal), અશ્વિની વૈષ્ણવ (Ashwini Vaishnav) અને મનસુખ માંડવિયા (Mansukh Mandaviya) જેવા પાર્ટીના વરિષ્ઠ નેતાઓ નવી સરકારમાં જોડાવાનું નિશ્ચિત માનવામાં આવે છે. ભાજપના નેતા જ્યોતિરાદિત્ય સિંધિયા (Jyotiraditya Scindia) અને ઉત્તર પ્રદેશ (Uttar Pradesh) ના સાંસદ જિતિન પ્રસાદ (Jitin Prasad) અને મહારાષ્ટ્રના રક્ષા ખડસે (Raksha Khadse) પણ નવી સરકારનો ભાગ બને તેવી શક્યતા છે.


ખડસેએ મીડિયાને સમર્થન આપ્યું હતું કે તેમને સરકારનો ભાગ બનવાનો ફોન આવ્યો હતો. આમાંથી ઘણા નેતાઓ મોદીને તેમના સત્તાવાર નિવાસસ્થાને મળ્યા હતા. એક સૂત્રએ જણાવ્યું કે, નિર્મલા સીતારમણ (Nirmala Sitharaman), સર્બાનંદ સોનોવાલ (Sarbananda Sonowal) અને કિરેન રિજિજુ (Kiren Rijiju) પણ શપથ લેશે.

ટીડીપી (TDP) ના રામ મોહન નાયડુ (Ram Mohan Naidu) અને ચંદ્રશેખર પેમ્માસા (Chandrasekhar Pemmasani) ની ઉપરાંત જેડી(યુ) (JD(U)) ના લાલન સિંહ (Lallan Singh) અને રામનાથ ઠાકુર (Ramnath Thakur), ચિરાગ પાસવાન (Chirag Paswan), જીતન રામ માંઝી (Jitan Ram Manjhi), એચડી કુમારસ્વામી (H. D. Kumaraswamy) અને જયંત ચૌધરી (Jayant Chaudhary) ને મંત્રીપદ માટે વિચારણા કરવામાં આવી રહી છે.


પંજાબ (Punjab) ના ભૂતપૂર્વ મુખ્ય પ્રધાન બિઅંત સિંહ (Beant Singh) ના પૌત્ર બિટ્ટુ લોકસભા ચૂંટણી હારી ગયા હતા, પરંતુ તેમની પ્રોફાઇલ અને પંજાબમાં ભાજપની હાજરી વધારવાના પ્રયાસોને કારણે તેમને સામેલ કરવામાં આવી શકે છે.

તેલંગણા (Telangana) ના ચૂંટાયેલા બંદી સંજય કુમાર (Bandi Sanjay Kumar) અને જી કિશન રેડ્ડી (G Kishan Reddy) એકસાથે મોદીના નિવાસસ્થાને જતા જોવા મળ્યા હતા અને તેમની નજીકના સૂત્રોએ જણાવ્યું હતું કે તેમને મંત્રી બનાવવામાં આવી શકે છે. જો કે સંભવિત મંત્રીઓ અંગે કોઈ સત્તાવાર નિવેદન બહાર આવ્યું નથી.

Whatsapp-channel Whatsapp-channel

09 June, 2024 02:21 PM IST | New Delhi | Gujarati Mid-day Online Correspondent

App Banner App Banner

અન્ય લેખો


X
ક્વિઝમાં ભાગ લો અને જીતો ગિફ્ટ વાઉચર
This website uses cookie or similar technologies, to enhance your browsing experience and provide personalised recommendations. By continuing to use our website, you agree to our Privacy Policy and Cookie Policy. OK