Gujarati Mid-day
Happiest Places to Work

ઇ-પેપર

વેબસ્ટોરીઝ

વેબસ્ટોરીઝ

બ્રેકિંગ સમાચાર

App banner App banner
હોમ > સમાચાર > રાષ્ટ્રીય સમાચાર > આર્ટિકલ્સ > બદ્રીનાથ હાઇવે પરથી મિની બસ અલકનંદા નદીમાં ખાબકી, ચાર જણના જીવ ગયા, ૮ જણ મિસિંગ

બદ્રીનાથ હાઇવે પરથી મિની બસ અલકનંદા નદીમાં ખાબકી, ચાર જણના જીવ ગયા, ૮ જણ મિસિંગ

Published : 27 June, 2025 12:35 PM | IST | Uttarakhand
Gujarati Mid-day Correspondent | feedbackgmd@mid-day.com

મિની બસમાં સુરતના સોની-પરિવાર સહિત કુલ નવ લોકો હતા, સુરતના વિધાતા જ્વેલર્સના માલિકની દીકરી ડ્રીમી સોનીનું મૃત્યુ

ગઈ કાલે અલકનંદા નદીમાં મિની બસ ખાબકી એ પછી ચાલી રહેલું બચાવકાર્ય.

ગઈ કાલે અલકનંદા નદીમાં મિની બસ ખાબકી એ પછી ચાલી રહેલું બચાવકાર્ય.


રુદ્રપ્રયાગ-બદ્રીનાથ હાઇવે પર ગુરુવારે સવારે ધોલતીર વિસ્તારમાં આશરે ૧૯ મુસાફરોથી ભરેલી એક મિની બસ અલકનંદા નદીમાં પડી ગઈ હતી. ટ્રકે પાછળથી ટક્કર મારી હોવાથી ડ્રાઇવરે બસ પરથી નિયંત્રણ ગુમાવતાં આ અકસ્માત થયો હતો. આ દુર્ઘટનામાં ૪ જણે જીવ ગુમાવ્યા હોવાનું મનાય છે. ઘટનાસ્થળથી બે મુસાફરોના મૃતદેહ મળી આવ્યા છે અને ૮ જણ ગુમ છે. ૭ લોકો હૉસ્પિટલમાં છે. બચાવ અને વહીવટી ટીમો ઘટનાસ્થળે પહોંચી ગઈ છે. ઘાયલોને ઍર ઍમ્બ્યુલન્સ દ્વારા હૃષીકેશ લાવવામાં આવ્યા છે.


એવું કહેવામાં આવી રહ્યું છે કે અકસ્માતગ્રસ્ત વાહન એક ટેમ્પો ટ્રાવેલર છે. આ મિની બસમાં રાજસ્થાન, મધ્ય પ્રદેશ, ગુજરાત અને મહારાષ્ટ્રના ૧૯ લોકો હતા જેમાંથી સુરતની ડ્રીમી સોની સહિત ૪ જણે જીવ ગુમાવ્યા છે.



સુરતના સોની-પરિવારમાંથી એકનું મૃત્યુ, એક ગુમ


આ મિની બસમાં સુરતના સિલિકૉન પૅલેસમાં રહેતા અને વિધાતા જ્વેલર્સના માલિક ઈશ્વર સોની, તેમનાં પત્ની ભાવના સોની, ૧૭ વર્ષની દીકરી ડ્રીમી સોની, દીકરો ભવ્ય સોની અને દીકરી ચેષ્ટા સોની પણ હતાં જેમાંથી ડ્રીમીનું મૃત્યુ થયું છે; જ્યારે ઈશ્વર સોની, ભાવના અને ભવ્ય સારવાર હેઠળ છે અને ચેષ્ટા મિસિંગ છે. ઉત્તરાખંડ ખાતે તેઓ રુદ્રપ્રયાગ સહિતનાં ધાર્મિક સ્થળોએ યાત્રા કરવા નીકળ્યા હતા એ દરમ્યાન આ અકસ્માત થયો હતો.

ઈશ્વર સોનીના સાળા અને તેમની બે દીકરીઓ મિસિંગ 


આ મિની બસમાં ભાવના સોનીના ભાઈ લલિતભાઈ, ભાભી હેમલતાબહેન તથા તેમની બે દીકરીઓ મૌલી અને મયૂરી પણ હતાં જેમાંથી લલિત સોની તથા તેમની બન્ને દીકરી મૌલી સોની, મયૂરી સોની મિસિંગ છે.

ઉદયપુરથી મિની બસ ભાડે કરી

સોની પરિવારે ઉત્તરાખંડ જવા મિની બસ ઉદયપુરથી કરી હતી. સુરતથી તેઓ ૧૬ કે ૧૭ જૂને મૂળ વતન ઉદયપુર જવા નીકળ્યા હતા. ત્યાર બાદ તેઓ ઉદયપુરથી ઉત્તરાખંડ તરફ પ્રવાસે ગયા હતા.

Whatsapp-channel Whatsapp-channel

27 June, 2025 12:35 PM IST | Uttarakhand | Gujarati Mid-day Correspondent

App Banner App Banner

અન્ય લેખો


This website uses cookie or similar technologies, to enhance your browsing experience and provide personalised recommendations. By continuing to use our website, you agree to our Privacy Policy and Cookie Policy. OK