Gujarati Mid-day

ઇ-પેપર

વેબસ્ટોરીઝ

વેબસ્ટોરીઝ


Food fun and filmstar Food fun and filmstar
હોમ > સમાચાર > રાષ્ટ્રીય સમાચાર > આર્ટિકલ્સ > ચન્દ્રયાને પુરવાર કર્યું છે કે સંકલ્પના કેટલાક સૂરજ ચન્દ્ર પર પણ ઊગે છે : પીએમ મોદી

ચન્દ્રયાને પુરવાર કર્યું છે કે સંકલ્પના કેટલાક સૂરજ ચન્દ્ર પર પણ ઊગે છે : પીએમ મોદી

28 August, 2023 11:50 AM IST | New Delhi
Gujarati Mid-day Correspondent | feedbackgmd@mid-day.com

ચન્દ્રયાનની સફળતાએ ઉત્સવના આ માહોલને અનેક ગણો વધારી દીધો છે

ફાઇલ તસવીર

ફાઇલ તસવીર


વડા પ્રધાન નરેન્દ્ર મોદીએ ગઈ કાલે ‘મન કી બાત’ કાર્યક્રમમાં દેશને સંબોધિત કરતાં કહ્યું હતું કે ‘મને યાદ નથી આવતું કે ક્યારેય એમ બન્યું હોય કે શ્રાવણના મહિનામાં બે વખત ‘મન કી બાત’ કાર્યક્રમ થયો હોય. શ્રાવણ એટલે કે મહાશિવનો મહિનો, ઉત્સવનો મહિનો. ચન્દ્રયાનની સફળતાએ ઉત્સવના આ માહોલને અનેક ગણો વધારી દીધો છે, જેની જેટલી ચર્ચા કરવામાં આવે એટલી ઓછી છે.’


તેમણે કહ્યું હતું કે ‘૨૩ ઑગસ્ટે ભારતના ચન્દ્રયાને પુરવાર કરી દીધું છે કે સંકલ્પના કેટલાક સૂરજ ચન્દ્ર પર પણ ઊગે છે.’



સ્પોર્ટ્સના સેક્ટરમાં ભારતની સિદ્ધિ વિશે તેમણે કહ્યું હતું કે ‘થોડા દિવસ પહેલાં જ ચીનમાં વર્લ્ડ યુનિવર્સિટી ગેમ્સ યોજાઈ હતી, જેમાં આ વખતે ભારતે અત્યાર સુધીનો સૌથી બેસ્ટ પર્ફોર્મન્સ આપ્યો છે. આપણા પ્લેયર્સે કુલ ૨૬ મેડલ્સ જીત્યા છે, જેમાંથી ૧૧ ગોલ્ડ મેડલ્સ છે. તમને એ જાણીને આનંદ થશે કે ૧૯૫૯થી અત્યાર સુધીમાં જેટલી વર્લ્ડ યુનિવર્સિટી ગેમ્સ યોજાઈ છે એમાં જીતેલા તમામ મેડલ્સનું ટોટલ કરવામાં આવે તો પણ એ સંખ્યા ૧૮ સુધી જ પહોંચે છે.’ 


Whatsapp-channel Whatsapp-channel

28 August, 2023 11:50 AM IST | New Delhi | Gujarati Mid-day Correspondent

App Banner App Banner

અન્ય લેખો


X
ક્વિઝમાં ભાગ લો અને જીતો ગિફ્ટ વાઉચર
This website uses cookie or similar technologies, to enhance your browsing experience and provide personalised recommendations. By continuing to use our website, you agree to our Privacy Policy and Cookie Policy. OK