Gujarati Mid-day

ઇ-પેપર

વેબસ્ટોરીઝ

વેબસ્ટોરીઝ


App banner App banner
હોમ > સમાચાર > રાષ્ટ્રીય સમાચાર > આર્ટિકલ્સ > જમ્મુ અને કાશ્મીરમાં કાશ્મીરી પંડિતોને પચીસ ઑગસ્ટ સુધી વર્ક ફ્રૉમ હોમ કરવાનો અથવા રજા લેવાનો નિર્દેશ

જમ્મુ અને કાશ્મીરમાં કાશ્મીરી પંડિતોને પચીસ ઑગસ્ટ સુધી વર્ક ફ્રૉમ હોમ કરવાનો અથવા રજા લેવાનો નિર્દેશ

Published : 12 August, 2026 10:11 AM | IST | Mumbai
Gujarati Mid-day Correspondent | feedbackgmd@mid-day.com

આતંકવાદીઓએ નામ-નંબર સાથે નિશાન બનાવવાની ધમકી આપી છે એને પગલે લેવામાં આવ્યો નિર્ણય

ફાઇલ તસવીર

ફાઇલ તસવીર


દેશમાં સ્વતંત્રતા-દિવસની ઉજવણીની તૈયારીઓ થઈ રહી છે ત્યારે જમ્મુ અને કાશ્મીરમાં ગંભીર અને સંવેદનશીલ પરિસ્થિતિ ઊભી થઈ છે. કાશ્મીર ખીણપ્રદેશમાં કાશ્મીરી પંડિતો પર ટાર્ગેટેડ કિલિંગનો ખતરો છે. આતંકવાદી સંગઠન લશ્કર-એ-તય્યબાના પ્રૉક્સી સંગઠન યુનાઇટેડ લિબરેશન કાઉન્સિલે કાશ્મીરી પંડિતોને ખુલ્લી ધમકી આપી છે. ૭ ઑગસ્ટે કાઉન્સિલના નામથી મોકલવામાં આવેલી ધમકીમાં કાશ્મીરી પંડિતોના સભ્યોનાં નામ અને ટેલિફોન-નંબરોનો ખુલાસો કરવામાં આવ્યો છે અને તેમને નિશાન બનાવવાની ધમકી આપવામાં આવી છે.
આ ધમકીના પગલે પ્રશાસનમાં કામ કરતા સેંકડો કાશ્મીરી પંડિત કર્મચારીઓને વર્ક ફ્રૉમ હોમ કરવાનું અથવા રજા પર ઊતરી જવાનું કહેવામાં આવ્યું છે. તેમને પચીસ ઑગસ્ટ સુધી ઑફિસમાં નહીં આવવા જણાવાયું છે. તેમને સ્વતંત્રતા-દિવસના રાજકીય કાર્યક્રમોમાં પણ નહીં આવવા જણાવવામાં આવ્યું છે. ૨૦૨૨માં પણ આવી ધમકી વખતે પાંચ કર્મચારીઓની હત્યા કરવામાં આવી હતી.

૩૦૦૦ શંકાસ્પદોની અટકાયત
સુરક્ષાદળો દ્વારા તકેદારીનાં પગલાંરૂપે ૩૦૦૦ શંકાસ્પદોની અટકાયત કરવામાં આવી છે.


Whatsapp-channel Whatsapp-channel

12 August, 2026 10:11 AM IST | Mumbai | Gujarati Mid-day Correspondent

App Banner App Banner

અન્ય લેખો


This website uses cookie or similar technologies, to enhance your browsing experience and provide personalised recommendations. By continuing to use our website, you agree to our Privacy Policy and Cookie Policy. OK