Gujarati Mid-day
Happiest Places to Work

ઇ-પેપર

વેબસ્ટોરીઝ

વેબસ્ટોરીઝ


App banner App banner
હોમ > સમાચાર > રાષ્ટ્રીય સમાચાર > આર્ટિકલ્સ > બુરખો હોય કે ઘૂંઘટ, ચહેરો નહીં દેખાતો હોય તો ઘરેણાં નહીં મળે

બુરખો હોય કે ઘૂંઘટ, ચહેરો નહીં દેખાતો હોય તો ઘરેણાં નહીં મળે

Published : 06 January, 2026 07:07 AM | IST | Uttar Pradesh
Gujarati Mid-day Correspondent | feedbackgmd@mid-day.com

ઝાંસીના ઝવેરીઓએ દુકાનની બહાર લગાવી દીધી છે નોટિસ

દુકાનદારોએ લગાવેલી નોટિસ

દુકાનદારોએ લગાવેલી નોટિસ


ઉત્તર પ્રદેશના ઝાંસીમાં સરાફા વેપારી મંડળે ચોરીની વધી રહેલી ઘટનાઓ પર લગામ તાણવા માટે અનોખી પહેલ કરી છે. વેપારીઓએ હવે મોં છુપાડીને આવતા ગ્રાહકોને સામાન નહીં વેચવાનો નિર્ણય લીધો છે. સુરક્ષાને ધ્યાનમાં લઈને દુકાનની બહાર સ્પષ્ટ ચેતવણી આપવામાં આવી છે કે બુરખો હોય કે ઘૂંઘટ, ચહેરો દેખાતો નહીં હોય તો ગ્રાહકને ઘરેણાં વેચવામાં નહીં આવે. આ નિર્ણય વેપારી મંડળે સામૂહિક રીતે લીધો છે.

આ વેપારીઓએ પોલીસની સંમતિ પણ લીધી છે અને દરેક ગ્રાહકને ચહેરો દેખાય એ રીતે ખુલ્લો રાખીને જ દુકાનમાં પ્રવેશવાનો આગ્રહ કર્યો છે. વેપારીઓનું કહેવું છે કે આ નિર્ણય સેફ્ટીના દૃષ્ટિકોણથી લેવાયો છે, કેમ કે નકાબ કે બુરખાની આડમાં જ્યારે ચોરી કે ગુનો થાય છે ત્યારે આરોપીઓની ઓળખ કરવાનું મુશ્કેલ થઈ જાય છે. વેપારી મંડળના અધ્યક્ષ ઉદય સોનીએ કહ્યું હતું કે ‘સોના-ચાંદીના ભાવ વધવાની સાથે અપરાધોનું પ્રમાણ પણ વધી ગયું છે. એ જ કારણોસર વેપારીઓએ સંયુક્ત રીતે નક્કી કર્યું છે કે કોઈ પણ ગ્રાહક બુરખા કે ઘૂંઘટમાં હોય તો તેણે પણ ચહેરો ખોલીને જ દુકાનમાં ખરીદી કરવાની રહેશે. જો કોઈ ગ્રાહક આગ્રહ કરવા છતાં ચહેરો ન ખોલે તો તેમને દાગીના બતાવવા જ નહીં.’


Whatsapp-channel Whatsapp-channel

06 January, 2026 07:07 AM IST | Uttar Pradesh | Gujarati Mid-day Correspondent

App Banner App Banner

અન્ય લેખો


This website uses cookie or similar technologies, to enhance your browsing experience and provide personalised recommendations. By continuing to use our website, you agree to our Privacy Policy and Cookie Policy. OK