Gujarati Mid-day
Happiest Places to Work

ઇ-પેપર

વેબસ્ટોરીઝ

વેબસ્ટોરીઝ


App banner App banner
હોમ > સમાચાર > રાષ્ટ્રીય સમાચાર > આર્ટિકલ્સ > IRCTCએ શરૂ કરી ૭ જ્યોતિર્લિંગની દર્શનયાત્રા

IRCTCએ શરૂ કરી ૭ જ્યોતિર્લિંગની દર્શનયાત્રા

Published : 24 May, 2025 09:46 AM | IST | New Delhi
Gujarati Mid-day Correspondent | feedbackgmd@mid-day.com

આ પૅકેજ ૧૨ રાત ૧૩ દિવસનું હશે; આ ખાસ ટ્રેનમાં ૭૦૦ લોકો સવાર થઈ શકશે

જ્યોતિર્લિંગ

જ્યોતિર્લિંગ


જ્યોતિર્લિંગનાં દર્શન કરવા ઇચ્છતા લોકો માટે ઇન્ડિયન રેલવે કૅટરિંગ ઍન્ડ ટૂરિઝમ કૉર્પોરેશન (IRCTC) દ્વારા ખુશખબરી છે. એક ભારત, શ્રેષ્ઠ ભારત અભિયાન અંતર્ગત ભારત ગૌરવ ટ્રેનોની શરૂઆતમાં ૭ જ્યોતિર્લિંગ અને શિર્ડીના સાંઈબાબાનાં દર્શન કરી શકાય એવું ખાસ પૅકેજ લૉન્ચ કર્યું છે. આ પૅકેજ ૧૨ રાત ૧૩ દિવસનું હશે. આ ખાસ ટ્રેનમાં ૭૦૦ લોકો સવાર થઈ શકશે. 
ટ્રેન ૩૧ મેએ ઝારખંડના ધનબાદથી શરૂ થશે અને હજારીબાગ રોડ, કોડરમા, ગયા, રાજગીર, બિહાર શરીફ, બખ્તિયારપુર, પટના, આરા, બક્સર, દિલદારનગર અને પંડિત દીનદયાલ ઉપાધ્યાય સ્ટેશન પર તીર્થયાત્રીઓને લેવા માટે રોકાશે.

આ યાત્રા દરમ્યાન મધ્ય પ્રદેશના મહાકાલેશ્વર અને ઓમકારેશ્વર; ગુજરાતના નાગેશ્વર અને સોમનાથ; મહારાષ્ટ્રના ત્ર્યંબકેશ્વર, ભીમાશંકર અને ઘૃષ્ણેશ્વર જ્યોતિર્લિંગનાં દર્શન થઈ શકશે. સાત જ્યોતિર્લિંગોની સાથે શિર્ડીના સાંઈબાબા અને દ્વારકામાં દ્વારકાધીશ મંદિરનાં પણ દર્શન થઈ શકશે.


Whatsapp-channel Whatsapp-channel

24 May, 2025 09:46 AM IST | New Delhi | Gujarati Mid-day Correspondent

App Banner App Banner

અન્ય લેખો


This website uses cookie or similar technologies, to enhance your browsing experience and provide personalised recommendations. By continuing to use our website, you agree to our Privacy Policy and Cookie Policy. OK