Gujarati Mid-day
Happiest Places to Work

ઇ-પેપર

વેબસ્ટોરીઝ

વેબસ્ટોરીઝ


App banner App banner
હોમ > સમાચાર > રાષ્ટ્રીય સમાચાર > આર્ટિકલ્સ > યુદ્ધવિરામ પછી એર ઇન્ડિયા અને ઇન્ડિગોએ પશ્ચિમ એશિયા અને યુરોપની ફ્લાઇટ્સ ફરી શરૂ કરી

યુદ્ધવિરામ પછી એર ઇન્ડિયા અને ઇન્ડિગોએ પશ્ચિમ એશિયા અને યુરોપની ફ્લાઇટ્સ ફરી શરૂ કરી

Published : 25 June, 2025 10:08 AM | Modified : 26 June, 2025 06:57 AM | IST | New Delhi
Gujarati Mid-day Online Correspondent | gmddigital@mid-day.com

Iran-Israel Conflict: ઈરાન-ઈઝરાયલ યુદ્ધવિરામ પછી એરસ્પેસ પરના પ્રતિબંધો ઓછા થતા એર ઇન્ડિયા અને ઇન્ડિગોએ મધ્ય પૂર્વ અને યુરોપ માટે ફ્લાઇટ્સ ફરી શરૂ કરી છે; જોકે કેટલાક રુટમાં ફેરફાર હોવાથી મુસાફરીનો સમય વધી શકે છે અને વિલંબની પણ સંભાવના

પ્રતીકાત્મક ફાઇલ તસવીર

પ્રતીકાત્મક ફાઇલ તસવીર


સોમવારે રાત્રે કતાર (Qatar)માં યુએસ એરબેઝ (US airbase) પર ઈરાન (Iran)ના હુમલાઓ સાથે મધ્ય પૂર્વ (Middle East)માં તણાવ વધુ વધ્યો હતો, ત્યારે ભારત (India)ની ઘણી એરલાઇન્સે મુસાફરો માટે એડવાઇઝરી જાહેર કરી, આ પ્રદેશની તેમની બધી ફ્લાઇટ્સ રદ કરી દીધી હતી. જોકે, ઇઝરાયલ (Israel) અને ઈરાન બંનેએ મંગળવારે યુએસ (United States of America) રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પ (Donald Trump) દ્વારા પ્રસ્તાવિત યુદ્ધવિરામ કરારને સ્વીકારીને તેમના ૧૨ દિવસના યુદ્ધ (Iran-Israel Conflict)નો અંત લાવવાનો નિર્ણય કર્યો. ત્યારબાદ ભારતીય એરલાઇન્સે ફરી તેમની સેવા શરુ કરવાની જાણ કરી છે અને નવી એડવાઇઝરી પણ જાહેર કરી છે.

ભારતીય વિમાન કંપનીઓ એર ઇન્ડિયા (Air India) અને ઇન્ડિગો (IndiGo)એ મંગળવારે જાહેરાત કરી હતી કે, પ્રાદેશિક હવાઈ ક્ષેત્રના પ્રતિબંધોમાં રાહત મળ્યા બાદ પશ્ચિમ એશિયા (West Asia) અને યુરોપ (Europe)માં તેમની આંતરરાષ્ટ્રીય ઉડાન ધીમે ધીમે સામાન્ય થઈ રહી છે.



એર ઇન્ડિયાએ જણાવ્યું હતું કે, તે ૨૪ જૂનથી મધ્ય પૂર્વના ભાગોમાં ફ્લાઇટ્સ ફરી શરૂ કરશે અને આ પ્રદેશમાં મોટાભાગની સેવાઓ ૨૫ જૂન સુધીમાં પુનઃસ્થાપિત થવાની અપેક્ષા છે. એર ઇન્ડિયાએ સોશ્યલ મીડિયા (Social Media) પ્લેટફોર્મ એક્સ (x) પર જણાવ્યું હતું કે, ‘યુરોપ જતી અને આવતી ફ્લાઇટ્સ, જે અગાઉ રદ કરવામાં આવી હતી, તે પણ આજથી ક્રમશઃ ફરી શરૂ કરવામાં આવી રહી છે, જ્યારે યુનાઇટેડ સ્ટેટ્સ અને કેનેડાના પૂર્વ કિનારાની આવતી અને જતી સેવાઓ શક્ય તેટલી વહેલી તકે ફરી શરૂ થશે.’



એરલાઇને ચેતવણી આપી હતી કે અગાઉના વિક્ષેપો અને રૂટિંગના કારણે કેટલીક ફ્લાઇટ્સ હજી પણ વિલંબ અથવા રદ થઈ શકે છે. ‘અમે વિક્ષેપો ઘટાડવા અને અમારા સમયપત્રકની અખંડિતતાને પુનઃસ્થાપિત કરવા માટે પ્રતિબદ્ધ છીએ. એર ઇન્ડિયા કોઈપણ સમયે અસુરક્ષિત તરીકે મૂલ્યાંકન કરાયેલ એરસ્પેસ ટાળવાનું ચાલુ રાખશે.’, એમ તેણે પોસ્ટમાં ઉમેર્યું છે.

ઇન્ડિગોએ પણ પુષ્ટિ આપી છે કે તેના ગલ્ફ-રિજન ઓપરેશન્સ સ્થિર થયા છે. એરલાઇને જણાવ્યું હતું કે, ‘ગલ્ફ દેશોમાં, બહાર અને ત્યાંથી ફ્લાઇટ્સનું સંચાલન સ્થિર થયું છે અને તે સમયપત્રક મુજબ કાર્યરત છે.’

જોકે, એરલાઇને ચેતવણી આપી હતી કે ઇરાની હવાઈ ક્ષેત્ર પર પ્રતિબંધો યથાવત છે, જેના પરિણામે ફ્લાઇટનો સમયગાળો લંબાઇ શકે છે. ઇન્ડિગોએ સલાહ આપી કે, ‘કેટલીક ફ્લાઇટ્સ વૈકલ્પિક રૂટ લઈ શકે છે, જેના પરિણામે મુસાફરીનો સમય લાંબો થઈ શકે છે. નવીનતમ અપડેટ્સ માટે અમે તમારી ફ્લાઇટની સ્થિતિ પર નજીકથી નજર રાખવાની ભલામણ કરીએ છીએ.’

નોંધનીય છે કે, આ ઘટનાક્રમ ઈરાન અને ઇઝરાયલ વચ્ચે ૧૨ દિવસના મિસાઇલ હુમલા અને હવાઈ હુમલાઓ પછી અમેરિકાની મધ્યસ્થીથી થયેલા યુદ્ધવિરામ કરારને અનુસરે છે, જેના કારણે આ પ્રદેશમાં ઉડ્ડયનમાં ભારે અવરોધ ઊભો થયો હતો. જોકે, કરાર થયાના થોડા કલાકો પછી જ તણાવ ફરી ભડકી ઉઠ્યો. ઇઝરાયલી અધિકારીઓએ ઈરાન પર યુદ્ધવિરામના ત્રણ કલાકથી પણ ઓછા સમયમાં ઉત્તર ઇઝરાયલ પર મિસાઇલો છોડવાનો આરોપ લગાવ્યો. તેના જવાબમાં, ઇઝરાયલી સંરક્ષણ પ્રધાન ઇઝરાયલ કાત્ઝે (Israel Katz) તેહરાન (Tehran) પર તાત્કાલિક બદલો લેવાનો આદેશ આપ્યો. ઈરાને યુદ્ધવિરામના કોઈપણ ઉલ્લંઘનનો ઇનકાર કર્યો.

Whatsapp-channel Whatsapp-channel

26 June, 2025 06:57 AM IST | New Delhi | Gujarati Mid-day Online Correspondent

App Banner App Banner

અન્ય લેખો


This website uses cookie or similar technologies, to enhance your browsing experience and provide personalised recommendations. By continuing to use our website, you agree to our Privacy Policy and Cookie Policy. OK