Gujarati Mid-day

ઇ-પેપર

વેબસ્ટોરીઝ

વેબસ્ટોરીઝ


App banner App banner
હોમ > સમાચાર > રાષ્ટ્રીય સમાચાર > આર્ટિકલ્સ > ઈન્ડિગોના મુસાફરોના જીવ થયા અધ્ધર! હવામાં જ એન્જિન ફેઇલ, ચેન્નાઈમાં ઈમરજન્સી લેન્ડિંગ

ઈન્ડિગોના મુસાફરોના જીવ થયા અધ્ધર! હવામાં જ એન્જિન ફેઇલ, ચેન્નાઈમાં ઈમરજન્સી લેન્ડિંગ

Published : 12 August, 2026 11:33 AM | IST | Chennai
Gujarati Mid-day Online Correspondent | gmddigital@mid-day.com

IndiGo flight emergency landing: કોલકાતાથી ચેન્નાઈ જઈ રહેલી ઈન્ડિગો ફ્લાઈટનું મંગળવાર રાત્રે લેન્ડિંગના થોડા સમય પહેલાં જ ડાબું એન્જિન બંધ થઈ જતાં ચેન્નાઈ ઈન્ટરનેશનલ એરપોર્ટ પર ઈમરજન્સી લેન્ડિંગ કરાવવામાં આવ્યું હતું

પ્રતીકાત્મક ફાઇલ તસવીર

પ્રતીકાત્મક ફાઇલ તસવીર


મંગળવાર, ૧૧ ઓગસ્ટની મોડી રાત્રે ૨૨૪ મુસાફરો સાથે ઉડી રહેલી ઈન્ડિગો (IndiGo) એરક્રાફ્ટનું ચેન્નાઈ ઈન્ટરનેશનલ એરપોર્ટ (Chennai International Airport) પર ઈમરજન્સી લેન્ડિંગ કરવામાં આવ્યું હતું. લેન્ડિંગના થોડા સમય પહેલાં જ વિમાનનું ડાબું એન્જિન મધ્ય આકાશમાં બંધ થઈ ગયું હતું, જેને પગલે એરપોર્ટ સત્તાવાળાઓએ સુરક્ષિત આગમન માટે `ફુલ ઈમરજન્સી` જાહેર (IndiGo flight emergency landing) કરી હતી. જોકે, વિમાન રનવે પર સુરક્ષિત રીતે લેન્ડ થઈ ગયું હતું અને કોઈ જાનહાનિ કે ઈજાના અહેવાલ નથી. લેન્ડિંગ બાદ એરપોર્ટ પર સામાન્ય કામગીરી તુરંત જ પૂર્વવત કરી દેવામાં આવી હતી.

ચેન્નાઈ એરપોર્ટ પર `ફુલ ઈમરજન્સી` જાહેર કરાઈ



એરપોર્ટ્સ ઓથોરિટી ઓફ ઈન્ડિયા (Airports Authority of India - AAI) અને ચેન્નાઈ એરપોર્ટ ઓથોરિટીના સત્તાવાર અપડેટ્સ અનુસાર, ઈન્ડિગો ફ્લાઈટ ૬E-૭૨૩ કોલકાતા (Kolkata) થી ચેન્નાઈની તેની નિયમિત સેવા આપી રહી હતી. જ્યારે વિમાન ચેન્નાઈમાં લેન્ડિંગ માટે તૈયારી કરી રહ્યું હતું, ત્યારે પાયલોટ અને ક્રૂ મેમ્બર્સે ડાબા એન્જિનમાં તકનીકી ખામી જોઈ અને તુરંત જ એર ટ્રાફિક કંટ્રોલ (Air Traffic Control - ATC) ને એલર્ટ કર્યું હતું.


મધ્ય આકાશમાં સર્જાયેલી આ ઈમરજન્સીની જાણ થતાં જ એરપોર્ટ સત્તાવાળાઓએ રાત્રે ૧૧:૨૯ વાગ્યે `ફુલ ઈમરજન્સી` જાહેર કરી હતી. રનવે પર ફાયર ટેન્ડરો, રેસ્ક્યૂ ટીમો અને મેડિકલ યુનિટ્સને તૈનાત કરીને તમામ ઈમરજન્સી પ્રોટોકોલ સક્રિય કરવામાં આવ્યા હતા.

રનવે ૨૫ પર વિમાનનું સફળ લેન્ડિંગ


ફ્લાઈટ એક જ એન્જિન પર ચાલતું હોવા છતાં, પાયલોટોએ વિમાન પર પૂર્ણ નિયંત્રણ જાળવી રાખ્યું હતું અને રાત્રે ૧૧:૩૭ વાગ્યે રનવે ૨૫ પર સુરક્ષિત લેન્ડિંગ કરાવ્યું હતું. આ ફ્લાઈટ તેના નિર્ધારિત સમય ૧૧:૩૦ વાગ્યા કરતાં માત્ર સાત મિનિટ મોડી પહોંચી હતી.

લેન્ડિંગ બાદ તમામ ૨૨૪ મુસાફરો અને ક્રૂ મેમ્બર્સ સુરક્ષિત રીતે વિમાનમાંથી બહાર આવ્યા હતા. ગ્રાઉન્ડ ટેકનિકલ ટીમોએ વિમાનની તપાસ કરી હતી અને પુષ્ટિ કરી હતી કે પેસેન્જર કેબિન અને માળખાને કોઈ નુકસાન થયું નથી.

ઈમરજન્સી હટાવી લેવાઈ અને એરપોર્ટ કામગીરી પુનઃ શરૂ

વિમાનની પ્રાથમિક તપાસ અને તમામ મુસાફરો સુરક્ષિત હોવાની પુષ્ટિ થયા બાદ, એરપોર્ટ અધિકારીઓએ રાત્રે ૧૧:૪૭ વાગ્યે `ફુલ ઈમરજન્સી` સત્તાવાર રીતે હટાવી લીધી હતી. ચેન્નાઈ એરપોર્ટ ઓથોરિટીએ સત્તાવાર નિવેદનમાં જણાવ્યું હતું કે, ઘટના નિવારણ બાદ તમામ રનવે પર ફ્લાઈટ કામગીરી તુરંત જ પૂર્વવત થઈ ગઈ હતી.

એવિએશન સેફ્ટી રેગ્યુલેટર્સ અને ટેકનિકલ એન્જિનિયરોએ આ યાંત્રિક ખામીનું મુખ્ય કારણ જાણવા માટે ક્ષતિગ્રસ્ત એન્જિનની તપાસ શરૂ કરી છે. ઈન્ડિગોની ટેકનિકલ ટીમે વધુ તપાસ અને સેફ્ટી ક્લિયરન્સ ન મળે ત્યાં સુધી આ વિમાનને ચેન્નાઈ એરપોર્ટ પર ગ્રાઉન્ડ કરી દીધું છે.

Whatsapp-channel Whatsapp-channel

12 August, 2026 11:33 AM IST | Chennai | Gujarati Mid-day Online Correspondent

App Banner App Banner

અન્ય લેખો


This website uses cookie or similar technologies, to enhance your browsing experience and provide personalised recommendations. By continuing to use our website, you agree to our Privacy Policy and Cookie Policy. OK