Gujarati Mid-day
Happiest Places to Work

ઇ-પેપર

વેબસ્ટોરીઝ

વેબસ્ટોરીઝ


App banner App banner
હોમ > સમાચાર > રાષ્ટ્રીય સમાચાર > આર્ટિકલ્સ > રાહુલ ગાંધીના આક્ષેપનો ઇન્ડિયન આર્મીએ આપ્યો જડબાતોડ જવાબ

રાહુલ ગાંધીના આક્ષેપનો ઇન્ડિયન આર્મીએ આપ્યો જડબાતોડ જવાબ

Published : 05 July, 2024 11:11 AM | IST | Delhi
Gujarati Mid-day Correspondent | feedbackgmd@mid-day.com

કૉન્ગ્રેસના નેતાએ કહ્યું હતું કે અગ્નિવીર યોજના હેઠળ પંજાબના શહીદના પરિવારને સરકારે પૈસા ન આપ્યા હોવાથી રક્ષાપ્રધાને દેશની માફી માગવી જોઈએ, પણ હકીકતમાં અજયકુમારના પરિવારને ૯૮.૩૯ લાખ રૂપિયા મળી ચૂક્યા છે

રાહુલ ગાંધી

રાહુલ ગાંધી


અગ્નિવીર યોજના અંતર્ગત શહીદના જવાનોને મોદી સરકાર તરફથી આર્થિક મદદ આપવામાં નથી આવતી એવા કૉન્ગ્રેસના નેતાએ કરેલા આક્ષેપ બાદ એને લઈને જબરદસ્ત ઊહાપોહ મચ્યો છે. 
સંસદના વિશેષ સત્રમાં રાહુલ ગાંધીએ અગ્નિવીર યોજનાને લઈને સરકાર પર હુમલો કરતાં કહ્યું હતું કે ‘પંજાબના અજયકુમારના પરિવારને તેમના મૃત્યુ બાદ અગ્નિવીર યોજના અંતર્ગત આર્થિક મદદ નથી મળી. દેશના રક્ષાપ્રધાન સંસદમાં ખોટું બોલ્યા હતા. તેમણે દેશની માફી માગવી જોઈએ.’


જોકે લોકસભામાં વિપક્ષના નેતાના આ બયાન બાદ ઇન્ડિયન આર્મીએ સોશ્યલ મીડિયા પર પોસ્ટ લખી છે કે ‘અગ્નિવીર અજયકુમારના પરિવારને ૯૮.૩૯ લાખ રૂપિયા અત્યાર સુધીમાં આપી દેવામાં આવ્યા છે. બાકીના ૬૭ લાખ રૂપિયા પોલીસ-વેરિફિકેશન અને બીજી અમુક કાર્યવાહી બાદ રિલીઝ કરવામાં આવશે. આ રીતે અગ્નિવીરના પરિવારને ૧.૬૫ કરોડ રૂપિયા મળશે.’


Whatsapp-channel Whatsapp-channel

05 July, 2024 11:11 AM IST | Delhi | Gujarati Mid-day Correspondent

App Banner App Banner

અન્ય લેખો


This website uses cookie or similar technologies, to enhance your browsing experience and provide personalised recommendations. By continuing to use our website, you agree to our Privacy Policy and Cookie Policy. OK