Gujarati Mid-day
Happiest Places to Work

ઇ-પેપર

વેબસ્ટોરીઝ

વેબસ્ટોરીઝ


App banner App banner
હોમ > સમાચાર > રાષ્ટ્રીય સમાચાર > આર્ટિકલ્સ > Goa Club Fire: ક્લબના માલિકો દેશ છોડી થાઈલૅન્ડના ભાગી ગયા અને તે પણ ઇન્ડિગોનીમાં

Goa Club Fire: ક્લબના માલિકો દેશ છોડી થાઈલૅન્ડના ભાગી ગયા અને તે પણ ઇન્ડિગોનીમાં

Published : 09 December, 2025 06:22 PM | IST | New Delhi
Gujarati Mid-day Online Correspondent | gmddigital@mid-day.com

ઈન્ટરપોલે બ્લુ કોર્નર નોટિસ જાહેર કરી છે, જેનો ઉપયોગ ગુનેગારો વિશે માહિતી એકત્રિત કરવા માટે થાય છે. પોલીસના જણાવ્યા અનુસાર, સૌરભ અને ગૌરવ લુથરા 7 ડિસેમ્બરે દિલ્હી આંતરરાષ્ટ્રીય ઍરપોર્ટથી થાઈલૅન્ડના ફુકેટ જવા રવાના થયા હતા.

ગોવા ક્લબનો માલિક ગૌરવ લુથરા થાઈલૅન્ડ ઍરપોર્ટ પર દેખાયો (તસવીર: X)

ગોવા ક્લબનો માલિક ગૌરવ લુથરા થાઈલૅન્ડ ઍરપોર્ટ પર દેખાયો (તસવીર: X)


ગોવાના આર્પોરામાં ‘બિર્ચ બાય રોમિયો લેન’ નાઈટક્લબમાં શનિવારે રાત્રે લાગેલી ભીષણ આગમાં 25 લોકોના મોત થયા બાદ, ક્લબના માલિકો સૌરભ અને ગૌરવ લુથરા ભારત છોડીને થાઈલૅન્ડ ભાગી ગયા હોવાના અહેવાલ મળી રહ્યા છે. ગોવા પોલીસે FIR નોંધી અને દરોડા પાડ્યા, પરંતુ લુથરા ભાઈઓ તેમના ઘરે મળી આવ્યા ન હતા. ગોવા પોલીસે તેમની સામે લુકઆઉટ સર્ક્યુલર જાહેર કર્યો અને ઇન્ટરપોલની મદદ માગી. ઈન્ટરપોલે બ્લુ કોર્નર નોટિસ જાહેર કરી છે, જેનો ઉપયોગ ગુનેગારો વિશે માહિતી એકત્રિત કરવા માટે થાય છે. પોલીસના જણાવ્યા અનુસાર, સૌરભ અને ગૌરવ લુથરા 7 ડિસેમ્બરે દિલ્હી આંતરરાષ્ટ્રીય ઍરપોર્ટથી થાઈલૅન્ડના ફુકેટ જવા રવાના થયા હતા. તેમનું આ પગલું તપાસથી બચવાનો પ્રયાસ હોવાનું માનવામાં આવે છે. આ પછી, ગોવા પોલીસે દિલ્હી પોલીસ સાથે મળીને બન્નેની શોધ શરૂ કરી, પરંતુ તેઓ હવે થાઈલૅન્ડમાં હોવાનું સામે આવ્યું છે, જેથી હવે ભારત અને થાઈલૅન્ડ વચ્ચે પ્રત્યાર્પણ સંધિ હેઠળ તેમને પકડવા માટે કાર્યવાહી કરવામાં આવશે.

આ ઘટના બાદ સૌરભ લુથરાએ ઇન્સ્ટાગ્રામ પર શોક વ્યક્ત કરતાં કહ્યું, "બિર્ચમાં બનેલી દુર્ભાગ્યપૂર્ણ ઘટનામાં જાનમાલના નુકસાન પર મૅનેજમેન્ટ ઊંડો દુ:ખ અને આઘાત વ્યક્ત કરે છે. અમે મૃતકો અને ઘાયલોના પરિવારો સાથે ઉભા છીએ." ગૌરવ અને સૌરભ લુથરાના રેસ્ટોરન્ટ અને ક્લબના પોર્ટફોલિયોમાં રોમિયો લેન, બિર્ચ, કહા અને મામાઝ બુઓય જેવા પ્રતિષ્ઠિત નામોનો સમાવેશ થાય છે, જે ભારત અને વિદેશમાં ફેલાયેલા છે. જો કે, તેમના ક્લબ અને રેસ્ટોરન્ટ પર અગાઉ સ્વચ્છતા અને ધ્વનિ પ્રદૂષણના નિયમોનું ઉલ્લંઘન કરવાનો આરોપ મૂકવામાં આવ્યો છે. આ દરમિયાન, પોલીસે બિર્ચ ક્લબના કર્મચારીઓ સામે ગુનાહિત હત્યાનો કેસ નોંધ્યો છે અને ક્લબના મૅનેજરો અને સ્ટાફની ધરપકડ કરી છે. પોલીસના જણાવ્યા અનુસાર, આ ઘટના ક્લબમાં સુરક્ષામાં ખામીઓને કારણે બની હતી, અને ગોવા સરકારે તપાસ માટે એક સમિતિની રચના કરી છે, જે એક અઠવાડિયામાં તેનો અહેવાલ રજૂ કરશે. ગોવા પોલીસ અને અન્ય અધિકારીઓ આ બાબતની ગંભીરતાથી તપાસ કરી રહ્યા છે, અને આ ઘટનાને કારણે રાજ્યમાં કાર્યરત નાઇટક્લબો અને રેસ્ટોરાંના સુરક્ષા ઓડિટના આદેશ પણ આપવામાં આવ્યા છે.




આરોપીઓએ દેશ છોડતા વિરોધી પક્ષની સરકાર પર ટીકા


આમ આદમી પાર્ટીના નેતા અરવિંદ કેજરીવાલે ગોવાની ઘટના અંગે ભાજપ પર મોટો હુમલો કર્યો છે. તેમણે ક્લબ માલિકના ભાગી જવા માટે ભાજપને જવાબદાર ઠેરવ્યું છે. તેમણે પ્રશ્ન કર્યો કે ભારત સરકાર ગોવામાં 25 લોકોની હત્યા કરનારાઓને ભાગી જવા દેતી વખતે અરવિંદ કેજરીવાલને કેવી રીતે જેલમાં ધકેલી શકે છે. ગુજરાતમાં એક પત્રકાર પરિષદને સંબોધતા તેમણે પ્રશ્ન કર્યો કે, "ક્લબ માલિક રાતોરાત કેવી રીતે ભાગી શકે છે, અને તે જ ફ્લાઇટમાં જે તેમને બ્લૅકમેલ કરતી હતી, ઇન્ડિગો?"

Whatsapp-channel Whatsapp-channel

09 December, 2025 06:22 PM IST | New Delhi | Gujarati Mid-day Online Correspondent

App Banner App Banner

અન્ય લેખો


This website uses cookie or similar technologies, to enhance your browsing experience and provide personalised recommendations. By continuing to use our website, you agree to our Privacy Policy and Cookie Policy. OK