Gujarati Mid-day
Happiest Places to Work

ઇ-પેપર

વેબસ્ટોરીઝ

વેબસ્ટોરીઝ


App banner App banner
હોમ > સમાચાર > રાષ્ટ્રીય સમાચાર > આર્ટિકલ્સ > SBIના ભૂતપૂર્વ ચેરમેન પ્રતિપ ચૌધરીની લોન કૌભાંડ મામલે ધરપકડ, જાણો વિગત

SBIના ભૂતપૂર્વ ચેરમેન પ્રતિપ ચૌધરીની લોન કૌભાંડ મામલે ધરપકડ, જાણો વિગત

Published : 02 November, 2021 02:56 PM | IST | mumbai
Gujarati Mid-day Online Correspondent | gmddigital@mid-day.com

લોન કૌભાંડ કેસમાં પ્રતિપ ચૌધરીની તેમના દિલ્હી સ્થિત ઘરેથી ધરપકડ કરવામાં આવી હતી.

પ્રતીકાત્મક તસવીર

પ્રતીકાત્મક તસવીર


ભારતીય સ્ટેટ બેંકના ભૂતપૂર્વ ચેરમેન પ્રતિપ ચૌધરી (Pratip Chaudhuri)ની સોમવારે જેસલમેર સદર પોલીસે ધરપકડ કરી હતી. લોન કૌભાંડ કેસમાં પ્રતિપ ચૌધરીની તેમના દિલ્હી સ્થિત ઘરેથી ધરપકડ કરવામાં આવી હતી. આ પછી SBI બેંકે નિવેદન જાહેર કર્યું છે. જેસલમેર જિલ્લા પોલીસ અધિક્ષક ડૉ. અજય સિંહે જણાવ્યું હતું કે જેસલમેર કોર્ટના આદેશ પર જેસલમેર પોલીસ દ્વારા ચૌધરી વિરુદ્ધ બિનજામીનપાત્ર વોરંટ જારી કરવામાં આવ્યું હતું અને તેમને દિલ્હીના ઘરેથી ધરપકડ કરીને જેસલમેર લાવવામાં આવ્યા હતા.

પોલીસ અધિકારીએ માહિતી આપી છે કે એસબીઆઈના ભૂતપૂર્વ વડાની ધરપકડ કરીને સોમવારે કોર્ટમાં રજૂ કરવામાં આવ્યો હતો. તેમની સામે ગેરરીતિ અને છેતરપિંડીનો આરોપ મૂકવામાં આવ્યો છે. તેમનું કહેવું છે કે પૂર્વ એસબીઆઈ ચીફની જામીન અરજી કોર્ટે ફગાવી દીધી હતી અને તેમને 14 દિવસની ન્યાયિક કસ્ટડીમાં મોકલી દેવામાં આવ્યા છે.



હકીકતે પ્રતિપ ચૌધરીને જેસલમેરમાં એક હોટલ પ્રોજેક્ટ સાથે જોડાયેલા કેસમાં આરોપી બનાવવામાં આવ્યો છે. જેમાં તેના પર 200 કરોડ રૂપિયાની હોટલને નોન-પર્ફોર્મિંગ એસેટ (NPA) જાહેર કર્યા બાદ તેને 25 કરોડ રૂપિયાની ઓછી કિંમતે વેચવાનો આરોપ છે.


બીજી તરફ સ્ટેટ બેંક ઓફ ઈન્ડિયા (SBI) એ એક નિવેદન જારી કરીને જણાવ્યું છે કે સપ્ટેમ્બર 2013માં ચૌધરીની નિવૃત્તિ પછી હોટેલ પ્રોજેક્ટ માર્ચ 2014માં યોગ્ય પ્રક્રિયા સાથે વેચવામાં આવ્યો હતો. એવું કહેવામાં આવી રહ્યું છે કે SBIએ 2007માં હોટલ પ્રોજેક્ટ `ગઢ રજવાડા`ને ફાઇનાન્સ કર્યું હતું. ત્રણ વર્ષ વિતવા છતાં પ્રોજેક્ટ પૂર્ણ થઈ શક્યો નથી. તે જ સમયે, વર્ષ 2010 માં પ્રોજેક્ટના મુખ્ય પ્રમોટરનું અવસાન થયું. વેચાણ પછી, બેંકમાંથી ઉધાર લેનાર વ્યક્તિએ એફઆઈઆર નોંધાવી હતી.

બેંકનું કહેવું છે કે સંયોગથી SBIને આ કેસમાં પક્ષકાર બનાવવામાં આવ્યો ન હતો. તેથી તે દરમિયાનની તપાસ અને સુનાવણીમાં SBIના અભિપ્રાયની જરૂર નહોતી. તે જ સમયે, બેંકનું કહેવું છે કે હોટલની સંપત્તિનું વેચાણ નિયમો અનુસાર કરવામાં આવ્યું હતું. તે જ સમયે, બેંકનું કહેવું છે કે તે આ મામલે વધુ તપાસ માટે સંપૂર્ણ મદદ કરશે.


Whatsapp-channel Whatsapp-channel

02 November, 2021 02:56 PM IST | mumbai | Gujarati Mid-day Online Correspondent

App Banner App Banner

અન્ય લેખો


This website uses cookie or similar technologies, to enhance your browsing experience and provide personalised recommendations. By continuing to use our website, you agree to our Privacy Policy and Cookie Policy. OK