Gujarati Mid-day

ઇ-પેપર

વેબસ્ટોરીઝ

વેબસ્ટોરીઝ


હોમ > સમાચાર > રાષ્ટ્રીય સમાચાર > આર્ટિકલ્સ > ભારત માટે આગામી ૪૦ દિવસ મહત્ત્વના, જાન્યુઆરીમાં કોરોનાના કેસ વધી શકે

ભારત માટે આગામી ૪૦ દિવસ મહત્ત્વના, જાન્યુઆરીમાં કોરોનાના કેસ વધી શકે

29 December, 2022 10:58 AM IST | Mumbai
Gujarati Mid-day Correspondent | feedbackgmd@mid-day.com

આ પહેલાં પૂર્વ એશિયામાં કોરોનાના કેસોનો વિસ્ફોટ થાય એના લગભગ ૩૦થી ૩૫ દિવસ બાદ ભારતમાં કોરોનાની નવી લહેર આવી હોવાનું ધ્યાનમાં આવ્યું છે

દેહરાદૂનમાં ગઈ કાલે એક ડિસ્ટ્રિક્ટ હૉસ્પિટલમાં કોરોનાની ટેસ્ટ માટે એક મહિલાનો સ્વૉબ સૅમ્પલ કલેક્ટ કરી રહેલી એક હેલ્થ વર્કર. તસવીર: પી.ટી.આઇ.

દેહરાદૂનમાં ગઈ કાલે એક ડિસ્ટ્રિક્ટ હૉસ્પિટલમાં કોરોનાની ટેસ્ટ માટે એક મહિલાનો સ્વૉબ સૅમ્પલ કલેક્ટ કરી રહેલી એક હેલ્થ વર્કર. તસવીર: પી.ટી.આઇ.


દિલ્હી (પી.ટી.આઇ.) : ભારત માટે આગામી ૪૦ દિવસ ખૂબ જ મહત્ત્વના રહેશે. આ પહેલાંની કોરોનાની જુદી-જુદી લહેરની પૅટર્નનો ઉલ્લેખ કરીને સત્તાવાર સૂત્રોએ ગઈ કાલે જણાવ્યું હતું કે જાન્યુઆરીમાં કોરોનાના કેસમાં વધારો થઈ શકે છે.

એક અધિકારીએ જણાવ્યું હતું કે ‘આ પહેલાં પૂર્વ એશિયામાં કોરોનાના કેસોનો વિસ્ફોટ થાય એના લગભગ ૩૦થી ૩૫ દિવસ બાદ ભારતમાં કોરોનાની નવી લહેર આવી હોવાનું ધ્યાનમાં આવ્યું છે.’



જોકે આરોગ્ય મંત્રાલયનાં આ સૂત્રોએ જણાવ્યું હતું કે ઇન્ફેક્શનની તીવ્રતા ઓછી જ રહેશે. લહેર આવશે તો પણ કોરોનાને કારણે મૃત્યુ અને હૉસ્પિટલાઇઝેશનનું પ્રમાણ ખૂબ ઓછું રહેશે. 
ચીન અને સાઉથ કોરિયા સહિત અનેક દેશોમાં કોરોનાના કેસમાં વધારાને કારણે સરકાર અલર્ટ છે અને રાજ્યો તથા કેન્દ્રશાસિત પ્રદેશોને ઇમર્જન્સીની સ્થિતિનો સામનો કરવા માટે તૈયાર રહેવા જણાવ્યું છે. 


Whatsapp-channel Whatsapp-channel

29 December, 2022 10:58 AM IST | Mumbai | Gujarati Mid-day Correspondent

App Banner App Banner

અન્ય લેખો


X
ક્વિઝમાં ભાગ લો અને જીતો ગિફ્ટ વાઉચર
This website uses cookie or similar technologies, to enhance your browsing experience and provide personalised recommendations. By continuing to use our website, you agree to our Privacy Policy and Cookie Policy. OK